હીરાબાને કૈલાસ ખેરની અનોખા અંદાઝમાં શ્રદ્ધાંજલિ, પરિવારજનો પણ રહ્યા ઉપસ્થિત


  • Published By :
  • Published Date : 2023-01-08 14:35:11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું તાજેતરમાં જ 100 વર્ષની વયે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીનાં માતા હીરાબાનાં નિધનથી દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ, હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેરે ગાંધીનગરના રાયસણ આવીને પીએમ મોદીનાં માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્તુતિ ગાઈને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વીડિઓ તેમણે ટ્વિટ પણ કર્યો છે.


હીરાબાને કૈલાશ ખેરની શ્રદ્ધાંજલિ


હીરાબાના અવસાનથી પીએમ મોદીના પરિવાર જનો શોકમગ્ન બન્યા છે. વડાપ્રધાન મોદીના વતન વડનગર અને ગાંધીનગર સહિત દેશી-વિદેશમાં લોકો શોકાતુર બન્યા છે. ત્યારે બોલિવુડના જાણિતા સિંગર કૈલાશ ખેરે ગાંધીનગર રાયસણ સ્થિત હીરાબાના સૌથી નાનાપુત્રના ઘરે પહોંચ્યા હતા. તેમણે અહીં ભગવાનની વિવિધ સ્તુતિઓનું ગાન કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


મોદી પરિવારના તમામ સભ્યો જોડાયા


હીરાબાના રાયસણ ખાતેના નિવાસ સ્થાને તેમના પરિવારની હાજરીમાં જ આગવા અંદાજમાં જ સ્તુતિ ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. કૈલાશ ખેરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પરમ પિતા પરમેશ્વરની દયા દૃષ્ટિ, ગુરુમહારાજની કૃપાથી આપણા પીએમ મોદીના પરિવાર સાથે મા હીરાબાને સ્તુતિ વંદન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું. મા હીરાબા તો પંચતત્ત્વમાં વિલીન થઈને પણ સંસ્કાર સ્વરૂપિણી ભગીરથી બનીને પરિવારજનોમાં સ્થાપિત થઈ ગયાં. આજના પ્રારબ્ધને નમન.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.