હીરાબાને કૈલાસ ખેરની અનોખા અંદાઝમાં શ્રદ્ધાંજલિ, પરિવારજનો પણ રહ્યા ઉપસ્થિત


  • Published By :
  • Published Date : 2023-01-08 14:35:11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું તાજેતરમાં જ 100 વર્ષની વયે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીનાં માતા હીરાબાનાં નિધનથી દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ, હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેરે ગાંધીનગરના રાયસણ આવીને પીએમ મોદીનાં માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્તુતિ ગાઈને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વીડિઓ તેમણે ટ્વિટ પણ કર્યો છે.


હીરાબાને કૈલાશ ખેરની શ્રદ્ધાંજલિ


હીરાબાના અવસાનથી પીએમ મોદીના પરિવાર જનો શોકમગ્ન બન્યા છે. વડાપ્રધાન મોદીના વતન વડનગર અને ગાંધીનગર સહિત દેશી-વિદેશમાં લોકો શોકાતુર બન્યા છે. ત્યારે બોલિવુડના જાણિતા સિંગર કૈલાશ ખેરે ગાંધીનગર રાયસણ સ્થિત હીરાબાના સૌથી નાનાપુત્રના ઘરે પહોંચ્યા હતા. તેમણે અહીં ભગવાનની વિવિધ સ્તુતિઓનું ગાન કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


મોદી પરિવારના તમામ સભ્યો જોડાયા


હીરાબાના રાયસણ ખાતેના નિવાસ સ્થાને તેમના પરિવારની હાજરીમાં જ આગવા અંદાજમાં જ સ્તુતિ ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. કૈલાશ ખેરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પરમ પિતા પરમેશ્વરની દયા દૃષ્ટિ, ગુરુમહારાજની કૃપાથી આપણા પીએમ મોદીના પરિવાર સાથે મા હીરાબાને સ્તુતિ વંદન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું. મા હીરાબા તો પંચતત્ત્વમાં વિલીન થઈને પણ સંસ્કાર સ્વરૂપિણી ભગીરથી બનીને પરિવારજનોમાં સ્થાપિત થઈ ગયાં. આજના પ્રારબ્ધને નમન.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!