Congress છોડી BJPમાં આવનાર Jyotiraditya Scindiaએ UPAના કૌભાંડો ગણાવતી વખતે સાધી ચુપ્પી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-10 16:00:06

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતી હોય છે. શાબ્દિક પ્રહાર કરવામા આવતા હોય છે. એક બીજાની નીતિની ખામીઓ, પોતાની સરકાર દ્વારા કરવામાં આવતા કામો ગણાવવામાં આવતા હોય છે. પરંતુ હવે સંસદ પણ સરકાર માટે પોતાની વાહવાહી કરવાનું સાધન બની ગયું હોય તેવું લાગે છે. સંસદમાં વિપક્ષી પાર્ટીઓ પર સત્તાપક્ષ શાબ્દિક પ્રહાર કરે તો વિપક્ષ સરકારની નીતિઓમાં ખામી શોધે. 

અમિત શાહ બોલતા રહ્યા પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા મૌન રહ્યા!

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ યુપીએના સમયે જે કૌભાંડો થયા તે ગણાવી રહ્યા હતા, ત્યારે તેમની પાછળ બેઠેલા જ્યોતિરાદિત્ય સિંધિયા શાંત બેઠેલા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સંસદનો છે. એક તરફ અમિત શાહ કૌભાંડોના નામ બોલી રહ્યા હતા, તેમની પાછળ બેઠેલા સાંસદો પણ યુપીએનું નામ જાણે માળા જપતા હોય તેવી રીતે બોલી રહ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એકદમ શાંત અને નિરસ જોવા મળ્યા હતા. 



કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે જ્યોતિરાદિત્ય સિંધિયા

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે હાથ છોડી કમળમાં આવ્યા હતા, મતલબ કે કોંગ્રેસ પાર્ટી છોડી તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે લોકોએ એન્ગલથી પણ વિચારી રહ્યા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે એટલા માટે તેઓ અમિત શાહના ભાષણ વખતે કંઈ બોલતા નથી દેખાઈ રહ્યા. આજે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જ્યોતિરાદિત્ય સિંધિયા બોલ્યા હતા.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.