મોંઘીદાટ વિમાનની ટિકિટ મુદ્દે બુમરાળ મચાવતા લોકોને એવિયેશન મંત્રીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-20 20:18:10

હવાઈ મુસાફરી કરતા લોકો સતત મોંઘી ટિકિટોની બુમરાળ મચાવતા હોય છે. કેન્દ્ર સરકારમાં સિવિલ એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેનો ખુલાસો કર્યો છે. રાજ્ય સભામાં જણાવ્યું હતું કે પ્લેનની ટિકિટની કિંમતો મોસમ પર આધારીત છે. જો કે પેસેન્જર ઈચ્છે છે તો એડવાન્સ બુકિંગ કરી ઓછા ભાડામાં પ્લેનનું ટિકિટ ખરીદી શકે છે. 


ઉડ્ડયન સેક્ટર પર સરકારનું નિયંત્રણ નહીં 


ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા સિંધિયાએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન સેક્ટર પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. ઉડ્ડયન કંપનીઓ પર આધાર રાખે છે. તહેવારોની મોસમ દરમિયાન પ્લેન ટિકિટના ભાવમાં વધારાના પ્રશ્ન પર મંત્રીએ કહ્યું કે એ સમજવું જરૂરી છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર મોસમી ઉદ્યોગ છે. તેમણે કહ્યું કે તેની માંગમાં વધઘટ થતી રહે છે.


ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ઉંચી માંગ


જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે તહેવારોની સીઝન ઓક્ટોબરમાં શરૂ થાય છે. ત્યારથી માંગ વધે છે. અને તે ફેબ્રુઆરી સુધી ચાલુ રહે છે. ત્યારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ભારે માંગ હોય છે. તે પછી માંગમાં થોડો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ચોમાસા દરમિયાન માંગમાં ભારે ઘટાડો જોવા મળે છે.


કોરોનાકાળ સૌથી ખરાબ તબક્કો


મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધ્યાન દોર્યું કે કોરોના રોગચાળા દરમિયાન, આ ક્ષેત્ર વિશ્વના કોઈ પણ ઉદ્યોગ માટે સંભવતઃ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયું છે. તેમણે કહ્યું કે એર ટર્બાઇન ઇંધણ ટિકિટની કિંમતમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. આના પર ઉડ્ડયન ઉદ્યોગનો ખર્ચ લગભગ 50 ટકા છે. તેમણે કહ્યું કે કોવિડ પહેલા તેની કિંમત 35,000 થી 40,000 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી, જે હવે વધીને 1,17,000 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.