મોંઘીદાટ વિમાનની ટિકિટ મુદ્દે બુમરાળ મચાવતા લોકોને એવિયેશન મંત્રીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-20 20:18:10

હવાઈ મુસાફરી કરતા લોકો સતત મોંઘી ટિકિટોની બુમરાળ મચાવતા હોય છે. કેન્દ્ર સરકારમાં સિવિલ એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેનો ખુલાસો કર્યો છે. રાજ્ય સભામાં જણાવ્યું હતું કે પ્લેનની ટિકિટની કિંમતો મોસમ પર આધારીત છે. જો કે પેસેન્જર ઈચ્છે છે તો એડવાન્સ બુકિંગ કરી ઓછા ભાડામાં પ્લેનનું ટિકિટ ખરીદી શકે છે. 


ઉડ્ડયન સેક્ટર પર સરકારનું નિયંત્રણ નહીં 


ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા સિંધિયાએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન સેક્ટર પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. ઉડ્ડયન કંપનીઓ પર આધાર રાખે છે. તહેવારોની મોસમ દરમિયાન પ્લેન ટિકિટના ભાવમાં વધારાના પ્રશ્ન પર મંત્રીએ કહ્યું કે એ સમજવું જરૂરી છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર મોસમી ઉદ્યોગ છે. તેમણે કહ્યું કે તેની માંગમાં વધઘટ થતી રહે છે.


ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ઉંચી માંગ


જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે તહેવારોની સીઝન ઓક્ટોબરમાં શરૂ થાય છે. ત્યારથી માંગ વધે છે. અને તે ફેબ્રુઆરી સુધી ચાલુ રહે છે. ત્યારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ભારે માંગ હોય છે. તે પછી માંગમાં થોડો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ચોમાસા દરમિયાન માંગમાં ભારે ઘટાડો જોવા મળે છે.


કોરોનાકાળ સૌથી ખરાબ તબક્કો


મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધ્યાન દોર્યું કે કોરોના રોગચાળા દરમિયાન, આ ક્ષેત્ર વિશ્વના કોઈ પણ ઉદ્યોગ માટે સંભવતઃ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયું છે. તેમણે કહ્યું કે એર ટર્બાઇન ઇંધણ ટિકિટની કિંમતમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. આના પર ઉડ્ડયન ઉદ્યોગનો ખર્ચ લગભગ 50 ટકા છે. તેમણે કહ્યું કે કોવિડ પહેલા તેની કિંમત 35,000 થી 40,000 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી, જે હવે વધીને 1,17,000 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.