મોંઘીદાટ વિમાનની ટિકિટ મુદ્દે બુમરાળ મચાવતા લોકોને એવિયેશન મંત્રીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-20 20:18:10

હવાઈ મુસાફરી કરતા લોકો સતત મોંઘી ટિકિટોની બુમરાળ મચાવતા હોય છે. કેન્દ્ર સરકારમાં સિવિલ એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેનો ખુલાસો કર્યો છે. રાજ્ય સભામાં જણાવ્યું હતું કે પ્લેનની ટિકિટની કિંમતો મોસમ પર આધારીત છે. જો કે પેસેન્જર ઈચ્છે છે તો એડવાન્સ બુકિંગ કરી ઓછા ભાડામાં પ્લેનનું ટિકિટ ખરીદી શકે છે. 


ઉડ્ડયન સેક્ટર પર સરકારનું નિયંત્રણ નહીં 


ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા સિંધિયાએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન સેક્ટર પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. ઉડ્ડયન કંપનીઓ પર આધાર રાખે છે. તહેવારોની મોસમ દરમિયાન પ્લેન ટિકિટના ભાવમાં વધારાના પ્રશ્ન પર મંત્રીએ કહ્યું કે એ સમજવું જરૂરી છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર મોસમી ઉદ્યોગ છે. તેમણે કહ્યું કે તેની માંગમાં વધઘટ થતી રહે છે.


ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ઉંચી માંગ


જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે તહેવારોની સીઝન ઓક્ટોબરમાં શરૂ થાય છે. ત્યારથી માંગ વધે છે. અને તે ફેબ્રુઆરી સુધી ચાલુ રહે છે. ત્યારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ભારે માંગ હોય છે. તે પછી માંગમાં થોડો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ચોમાસા દરમિયાન માંગમાં ભારે ઘટાડો જોવા મળે છે.


કોરોનાકાળ સૌથી ખરાબ તબક્કો


મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધ્યાન દોર્યું કે કોરોના રોગચાળા દરમિયાન, આ ક્ષેત્ર વિશ્વના કોઈ પણ ઉદ્યોગ માટે સંભવતઃ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયું છે. તેમણે કહ્યું કે એર ટર્બાઇન ઇંધણ ટિકિટની કિંમતમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. આના પર ઉડ્ડયન ઉદ્યોગનો ખર્ચ લગભગ 50 ટકા છે. તેમણે કહ્યું કે કોવિડ પહેલા તેની કિંમત 35,000 થી 40,000 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી, જે હવે વધીને 1,17,000 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.