Social Media પર ટ્રેન્ડ થયું #JusticeForGPSCAspirant, જાણો શા માટે GPSC Aspirant ચલાવી રહ્યા છે આ મુહિમ?


  • Published By :
  • Published Date : 2024-03-07 15:01:09

ભારત આઝાદ થયું એ પહેલાથીજ આપણા સમાજમાં સરકારી નોકરીઓનું મહત્વ ખુબજ રહેલું છે . અને ભારતની આઝાદીમાં જે મોટા નેતાઓ થયા તે પણ કયાંકને ક્યાંક ભારત સરકારની પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પાસ કરેલા હતા અથવા સરકારમાં તેઓ ક્યાંકને ક્યાંક પદ પર હતા . આમ આપ ઉદાહરણ તરીકે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને લઈ શકો છો. 

સોશિયલ મીડિયા પર શરૂ થયો આ ટ્રેન્ડ!

ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર એનો વહીવટ વિવિધ મંત્રાલયોની મદદથી થાય છે . બાબાસાહેબ આંબેડકરે એક વાર કીધું હતું કે , બંધારણ ગમે તેટલું સારું બનાવવામાં આવે , તેનો અમલ કરનારા ખરાબ હોય તો વહીવટ ખરાબ થઈ જાય છે . એટલે છેલ્લે વસ્તુઓ તો વહીવટ કરનારાની વિચારધારા પર જ નિર્ભર હોય છે . હવે આવી જ વાત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે બની છે . આજે થયું છે એવું કે , પ્લેટફોર્મ X એટલેકે ટ્વિટર પર #JUSTICEFORGPSCASPIRANTS નામનો ટ્રેન્ડ  ચાલુ થઈ ગયો છે . અને GPSC aspirants તેમની વ્યથા પ્લેટફરોમ X પર ઠાલવી રહ્યા છે . 


શું છે જીપીએસસી એસ્પીરેન્ટના પ્રશ્નો?

વાત આખી એમ છે કે , એક સમયે ગુજરાત સરકારનું નાક ગણાતી સંસ્થા જ આજે ગુજરાત સરકારનું નાક કાપી રહી છે . એક સમયે દેશનું સર્વશ્રેષ્ઠ ગણાતું GPSC આજે સૌથી ધીમું અને અન્યાયી કમિશન બની ગયું છે . GPSC aspirantsના પ્રશ્નો આ મુજબ છે જેમ કે , મુખ્ય પરીક્ષા એટલે કે MAINS પરીક્ષા પેપરમાં ચેડાં , કેટલીક ભરતીઓમાં ગેરરીતિ પણ થઈ છે , કેટલીક ભારતીયોના પરિણામો પણ અટકેલા છે . હવે વિદ્યાર્થીઓએ અવારનવાર ન્યાય મેળવવા હાઈકૉર્ટમાં જવું પડે છે , જેમાં યુવાનોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે . 


જ્યાં સુધી દિનેશ દાસા સર હતા ત્યાં સુધી બરાબર હતું... 

ગુજરાત સરકારે તત્કાલીન ધોરણે આ સંસ્થા પર ધ્યાન આપવું જોઈએ , અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને વાચા પણ આપવી જોઈએ . તદુપરાંત GPSCના ચેરમેન પદે કાર્યક્ષમ અને કાયમી વ્યક્તિની નિમણુંક થવી જોઈએ નહિ કે કામચલાઉ વ્યક્તિ . GPSC ના ચેરમેન DINESH DASA હતા ત્યાં સુધી બધું જ બરાબર ચાલતું હતું , ત્યારબાદ બધુ જ અવ્યવસ્થિત રીતે પાટા પરથી ઉતરી ગયું હોય તેવું લાગે છે , સરકારનો કોઈ પણ વિભાગ કે મંત્રાલય એક જ વ્યક્તિના વ્યક્તિત્વનો મોહતાજ ના હોવો જોયીએ . હાલમાં GPSC એસ્પિરેટસમાં એક વાત ચાલી રહી છે કે , કોઈની જિંદગી બગાડવી હોય તો ... એક માત્ર ઉપાય છે ... એને gpscના રવાડે ચઢાવી દેવો . આ હકીકત છે , સાચા મહેનતુ ઉમેદવારોના હાલ GPSC એ બેહાલ કરી નાખ્યા છે .



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.