સચિવાલયના રસ્તે અથડાતા અટવાતા લાખો સપના ધ્રુસકે ધ્રુસકે રડે...!


  • Published By :
  • Published Date : 2023-01-29 15:20:39

ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,

પ્રભુહીન આકાશેથી આગ ઝરે :

અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે-

ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !


મેઘાણીની આ વાતમાં થોડા બદલાવ સાથે અમે સરકાર તમને પુછીએ છીએ

સચિવાલયના રસ્તે અથડાતા અટવાતા

લાખો સપના ધ્રુસકે ધ્રુસકે રડે

રાત્રે ખેડૂતની પીડા, દિવસે યુવાનનો આક્રોશ

ચારેય બાજુથી સત્તાને ઘેરી વળે

ત્યારે હાય રે સરકાર...! તને મૃદુ-મક્કમપણાંની શેણે વાતો ગમે!


ગુજરાતના હજારો હોર્ડીંગ પર બોલ્ડ અક્ષરે લખેલી મૃદુ અને મક્કમ સરકાર.... ક્યાં મરી જાય છે તમારી સજ્જતા જ્યારે દર થોડા દિવસે પરીક્ષાઓમાં આવા દુર્ભાગ્ય સર્જાય છે.

તારીખ હતી 29મી જાન્યુઆરી, 2022

સમય સવારે 6.30ની આસપાસ

સતત થતા ફોનના વાઈબ્રેશનના કારણે આંખ ખુલી, અકળામણ સાથે વિચાર આવ્યો કે એવી શું ઈમરજન્સી હશે કે કોઈ સતત ફોન કરી રહ્યું છે તો જોયું અલગ-અલગ નંબરથી ઢગલાબંધ ફોન મીસ થયા હતા, ખબર પડી કે જુનિયર ક્લાર્કનું પેપરલીક થયું છે. અમારી સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે કોઈ જ પ્રશ્નોને સરકારો કે નેતાઓની જેમ પ્રેક્ટીકલી કે માત્ર ફાયદા માટે નથી લઈ શકતા, અમને પ્રશ્નો થાય છે અને જ્યાં સુધી જવાબો ના મળે ત્યાં સુધી સવાલ કરવાની કટીબદ્ધતા છે. સરકારનો ભૂતકાળ જોતા સામાન્ય લાગે એવા સમાચાર સામાન્ય એટલે ના લાગ્યા કેમ કે મને હતું અનેક પ્રશ્નોની વચ્ચે 156 સીટ સાથે બનેલી સરકારમાં જવાબદેહી હશે અને કોઈ પણ સંજોગોમાં પેપર તો લીક નહીં જ થવા દે પણ અફસોસ... સરકારના જ સુત્ર પ્રમાણે કહીએ તો ભરોસાની ભેંસે પાડો જણ્યો.


છેલ્લા 5 વર્ષમાં અમારા સવાલો નથી બદલાયા, હાં પહેલા જબરદસ્ત બુમો પાડતી હતી હવે શાંતિથી પુછી લઉં છું, જવાબો પણ નથી જ બદાલાયા અને તૈયારીઓ કરતા ચહેરાઓ પણ નથી બદલાયા, ક્યારેક ડેડીયાપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તો ક્યારેક અમદાવાદ-ગાંધીનગરની લાઈબ્રેરીમાં આવા છોકરાઓ મળે અને કહે કે બેન આપણે બિનસચિવાલયના આંદોલન માટે મળ્યા હતા પણ અમને ઓર્ડર તો હજું મળ્યા નથી તો કશો જ પર્સનલ વાંક ના હોવા છતાંય શરમ આવે છે કે યાર આ બિચારા લોકો માટે 20 દિવસ બુમો પાડીને આપણે તો આગળ વધી ગયા આ લોકો તો ત્યાંનાં ત્યાં છે, ત્યારે જે લોકો મંત્રી નહોતા એ લોકો મંત્રી બન્યા છે, ચહેરાઓ બદલાઈ ગયા છે, વિપક્ષના ચહેરાઓ પણ બદલાયા છે પણ આ લોકોનું તો ગજબ જીવન છે, કશું બદલાતું જ નથી.


કોઈ જ ઘટનાક્રમ નથી લખવો, કેવી રીતે થયું, શું કામ થયું, સરકારે આ કર્યુ, વિપક્ષે પેલું કર્યું... जाने भी दो यारों क्यां फर्क पडता है!!! પણ જેને ફરક પડતો હોય એ શું કરશે? મને પડે છે તો હું આ લખું છું. સાંજ પડતા સુધીમાં મન કદાચ શાંત થઈ પણ જશે પણ એકસાથે ઉમટેલા અન્યાયની પીડા અને આક્રોશથી હલબલી ઉઠેલા મન શાંત નહીં થાય તો? કોણ એમને સમજાવશે કે આના સિવાયની દુનિયા પણ સુંદર છે...!સંભાવના અને સકારાત્મકતાથી ઘેરાયેલું આખુ વિશ્વ છે! કેટલાય છોકરાઓ એવા હશે જે સાંજ સુધી એ વિચારમાં ઘરે નહીં પહોંચે કે મા-બાપને શું જવાબ આપીશ! આશા એ જ છે કે એ લોકો સુધી કોઈક પહોંચે દિશા બતાવવા વાળું, એનો હાથ પકડીને ભરોસો અપાવવા વાળું. બાકી રાજનીતિ તો મરી પરવારી છે, આ લોકોની તાકાત નથી કે હવે સાંત્વના પણ આપી શકે. જે લોકો મોરબીની દુર્ઘટના પછી પણ સરકારના બચાવની ભુમિકામાં લાગ્યા હતા એ લોકો માટે પેપર ફુટ્યાં પછી પણ સરકારના નિર્ણયને બોલ્ડ નિર્ણય કહી દેવો આસાન થવાનો છે, કેમ કે દરેક લોકો પીડાં સુધી પહોંચી શકવા જેટલા ભાગ્યશાળી નથી હોતા. આ ઘટનાએ ફરી એકવાર અહેસાસ કરાવ્યો છે કે સિસ્ટમ બદલવા તો અમે સક્ષમ નથી, પણ સિસ્ટમથી અથડાંતા લોકોનો અવાજ બનવા માટે તો સક્ષમ છીએ. અને એટલે જ એકસાથે આવાત અમારે સરકારને પણ કરવી છે અને ઉમેદવારોને પણ.ઉમેદવારો તો કદાચ અથડાતા અટવાતા ઉભા થઈ  જશે, પણ સરકાર...તમે જે શાસનને અડીખમ અને પર્મેનન્ટ માની ચુક્યા છો એના પાયા કટાઈ રહ્યા છે. આ ઉમેદવારોને જવાબ આપજો બાકી સમય તો દરેકને જવાબ આપતો જ હોય છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!