રાજ્યના 1181 કેન્દ્રો પર યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, GPSSBએ શું કરી છે તૈયારી? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-05 14:28:09

ગુજરાત સરકારના પંચાયત પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલ 2023ના રોજ  બિન સચિવાલય જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપશે. આ વખતે જિલ્લા ફેરબદલી ઉમેદવારો પણ પરીક્ષા આપવા આવશે. જેને પગલે એસટી વિભાગે વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.


રાજ્યના 1181 કેન્દ્રો પર પરીક્ષા


આ જુનિયર કલાર્કની પરીક્ષા રાજ્યના 1181 કેન્દ્રો પર યોજાશે. પરીક્ષા કેન્દ્રો જાણી જોઇને દૂર દૂર રાખવામાં આવ્યા છે. પીક્ષામાં કોઈ ગેરરિતી સામે આવે તો તુરંત ધ્યાન દોરવા બોર્ડ દ્વારા વિનંતી કરાઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓને યથા શક્તિ સહાય કરવા અપીલ કરી હતી.


ગાંધીનગરના 121 કેન્દ્રો પર પરીક્ષા


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની બિન સચિવાલય જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09-04-2023 (રવિવાર)ના રોજ બપોરે 12:30 કલાકથી 13:30 કલાક દરમિયાન યોજાશે. ગાંધીનગર જિલ્લામાં કુલ 121 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે. જે અતર્ગત માણસા તાલુકામાં 15 અને કલોલ તાલુકામાં 14 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. દહેગામ તાલુકામાં 10 અને ગાંધીનગર તાલુકામાં 82 કેન્દ્રો પર પરીક્ષા  યોજાશે. ઉલ્લેખનિય છે કે, 1247 બ્લોકમાં 37400 ઉમેદવારો પરીક્ષા આપશે.   


ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી


આ પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ કરશે તો તેની સામે ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ કાર્યવાહી થશે. ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ 7થી10 વર્ષની જેલ તથા રૂ. 1 કરોડનો દંડ કરવામાં આવશે.પરીક્ષાર્થી ગેરરીતિ આચરશે તો રૂપિયા 3 લાખનો દંડ અને 1 વર્ષની જેલ અને 2 પરીક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.


હસમુખ પટેલે યોજી હતી બેઠક


જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ગુજરાત પંચાયત પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે જિલ્લાના અધિકારીઓ સાથે પરીક્ષા વ્યવસ્થા અંગે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પ્રમાણે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રને લગતી મદદની જરૂર હોય તો તેઓ સંપર્ક કરી મદદ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરીને હેલ્પલાઈન નંબર જાહેર કરાયા હતા. ઉપરાંત જો ત્યાંથી કોઈ મદદ નથી મળતી તો રાજ્ય હેલ્પલાઈન નંબર્સ પણ જાહેર કરાયા છે.


જુનિયર ક્લાર્ક હેલ્પલાઈન નંબર


જુનિયર ક્લાર્ક પરીક્ષાના પરીક્ષા કેન્દ્ર શોધવામાં કોઈ મુશ્કેલી હોય, પરીક્ષા કેન્દ્ર જે જિલ્લામાં હોય તે જિલ્લાના નીચે જણાવેલા હેલ્પલાઇન નંબર પર કચેરી સમય દરમિયાન ફોન કરવો તે હેલ્પલાઇન નંબર પર પ્રશ્નનો ઉકેલ ના આવે તો રાજ્ય હેલ્પ લાઈન 8758804212, 8758804217 નો સંપર્ક કરવો.


ઉમેદવારોને મળશે રૂ.254 ટ્રાવેલ એલાઉન્સ 


પંચાયત પસંદગી સેવા બોર્ડ દ્વારા દરેક ઉમેદવારના ખાતામાં ડીબીટીથી 256 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જેમાં અમુક ઉમેદવારને 256 રૂપિયાથી ઓછું ભાડું થશે. જ્યારે અમુક વિદ્યાર્થીને 256 રૂપિયાથી વધારે ભાડું થઈ શકે છે. તો એ તમામ વિદ્યાર્થીઓએ પોતાના સ્વખર્ચે પરીક્ષાના કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પંચાયત પસંદગી સેવા મંડળ બોર્ડની પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાવાની હોવાથી ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની 6,000થી વધુ એસ.ટી.બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ પોતાની ટિકિટ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પણ બુક કરાવી શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.