જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ, 7.28 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા, જૂન મહિનામાં આવશે પરિણામ


  • Published By :
  • Published Date : 2023-04-09 16:51:09

રાજ્યમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે નિર્વિઘ્ને પુરી થઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પરીક્ષાર્થીઓ સહિત વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઉમેદવારો છેલ્લા બે વર્ષથી આ પરીક્ષાને લઈ તૈયારીઓ કરી રહ્યા હતા, પણ અવારનવાર પેપર લીકની ઘટનાઓ કે અન્ય વહીવટી કારણોથી પરીક્ષા યોજાવામાં વિઘ્ન આવતું રહ્યું હતું.


7.28 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા 
 

રાજ્યમાં આજે 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા વિના વિઘ્ન આવ્યે આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પરીક્ષાને લઈ વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ રાખવામાં આવ્યા હતા. કેન્દ્રમાં પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરાયુ હતું. પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરાઈ છે. ઉમેદવારો માટે એસટી તંત્રએ 6 હજારથી વધુ બસ દોડાવી હતી. 


જુનિયર ક્લાર્કનું પેપર અઘરૂ હતું?


જુનિયર ક્લાર્કની પરીક્ષા પુર્ણ થયા બાદ પરીક્ષા ખંડમાંથી બહાર આવીને ઉમેદવારોએ પરીક્ષા અંગે કહ્યું કે પેપર વધુ લાંબુ હોવાને કારણે સમય ખુટ્યો હતો. પંચાયતી રાજ, જોડકા સહિત ઇતિહાસના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઇંગ્લિશ અને ગણિતના પ્રશ્નોમાં સમય વધારે બગડ્યો હતો. આ વખતે મેરીટ નીચું રહેવાની શક્યતા ઉમેદવારોએ દર્શાવી છે. 


પરીક્ષાનું રિઝલ્ટ જૂન મહિનામાં આવશે


જુનિયર ક્લાર્કની પરીક્ષા પુર્ણ થયા બાદ હવે પરીક્ષાર્થીઓની નજર પરિણામ પર છે. જો કે આ અંગે પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ પરીક્ષાના પરિણામ અંગે જણાવ્યું હતુ કે, જૂન મહિનામાં આ પરીક્ષાનું પરિણામ આવવાનું છે. અત્રે ઉલ્લેખનિય છે કે પરીક્ષામાં આજે કોઇપણ જગ્યાએ કોઇ જ ગેરરીતિ સર્જાઇ નથી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.