આતુરતાનો આવ્યો અંત, જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર, GPSSBએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-28 21:35:35

સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પંચાયત સેવા પસંદગી બોર્ડ (gpssb)એ  જાહેરાત કરી છે કે જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાશે. વિવિધ જિલ્લાઓમાં પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો  મંગાવવામાં આવી હતી ત્યાર બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરવામાં આવી છે. Imageપ્રશ્નની કુલ સંખ્યા – 100

પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.

કુલ ગુણ – 100


પેપર લીક થતાં પરીક્ષા મોકુફ રખાઈ હતી


રાજ્યમાં જુનિયર ક્લાર્કની 1181 ખાલી જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાશે. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. પરીક્ષાને લઈને ઉમેદવારોએ જોરદાર દેખાવો કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું પેપર અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


16 આરોપીઓની ધરપકડ


નિયર ક્લાર્ક પરીક્ષાના પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જે બાદ આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે પરીક્ષાની તારીખ જાહેર કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.