જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ ABVPએ સરકારને આપી આ ગર્ભિત ચીમકી


  • Published By :
  • Published Date : 2023-01-29 19:35:44

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ સમગ્ર રાજ્યમાં સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા છે. પરીક્ષાર્થીઓની સાથે-સાથે વિવિધ રાજકીય પક્ષો પણ સરકાર સામે આકરા પ્રહારો કરી રહ્યા છે. જો કે હવે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પણ મેદાનમાં આવી છે. ABVPએ સરકારને 24 કલાકમાં જ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાની અને 20 દિવસમાં જ પરીક્ષા યોજવાનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સરકાર 24 કલાકમાં નવી તારીખ જાહેર નહીં કરો તો રસ્તા પર ઉતરીને સરકાર વિરોધી જબરદસ્ત દેખોવો કરીશું  તેવી ગર્ભીત ચીમકી ઉચ્ચારી છે. 


ABVPના પ્રદેશ મંત્રીએ શું કહ્યું?


પેપર લીક કાંડ બાદ ABVPના નેતાએ એક્શનમાં આવ્યા હતા, ABVPના પ્રદેશ મંત્રી તરીકે યુતીબેન ગજરે જણાવ્યું કે, આ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મંડળના તંત્રની રચના પર ફરી વિચાર થવો જોઈએ. અને તેમા પ્રદેશના ઉચ્ચ શિક્ષાવિદો અને પ્રમુખ અનુભવી લોકો‌ને સમિતિમાં સ્થાન આપવું જોઈએ. સરકાર રાજ્ય બહારની પ્રાઈવેટ એજન્સીઓને કામ આપે છે, જેના કારણે મંડળની ગુપ્તતા પર પણ પશ્ન ઉભા થાય છે. આ રીતે વારંવાર પેપરલીક થવાની ઘટના વિધાર્થી પરિષદ સહેજ  પણ સાંખી લેવામાં આવશે નહીં. આજે  ABVP દ્વારા તમામ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે. 


ABVPના કાર્યકરોના ગાંધીનગરમાં ધરણા


જુનિયર ક્લાર્ક ની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ જાહેર કરાઈ હતી. જો કે આ મુદ્દે ABVPના કાર્યકરોમાં રોષ વ્યાપી નીકળ્યો છે. ABVPના કાર્યકરો ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરીએ પહોંચ્યા હતા. ABVPએ 7 માંગણીઓ સાથે સરકારને આપવા આવેદનપત્ર પત્ર તૈયાર કર્યું હતું. જો કે કર્મયોગી ભવનના ગેટ નંબર 1 પર ABVPના કાર્યકરોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. 


ABVPએ શું માગ કરી?


1- 24 કલાકમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવે. 

2-20 દિવસની અંદર અંદર આ પરીક્ષા લેવામા‌ આવે.

3-. પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ યાત્રા, નિવાસ, ભોજનની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લે.

4- આ પેપર લીક કૌભાંડ પર SITની રચના કરવામાં આવે.

5- આ કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ પર રાજદ્રોહનો કેસ લગાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે અને આરોપીઓને ત્વરિત કડકમાં કડક સજા કરવામાં આવે.

6- સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રમાં યોગ્ય અધિકારીઓ, શિક્ષણવિદોની ખાલી પડેલ મહત્વના પદો પર જલ્દી નિમણૂક થવી જોઈએ.

7-આરોપીઓની પ્રિન્ટીંગ પ્રેસ, કોચિંગ, સંપતિની સરકાર હરાજી કરીને દાખલો બેસાડવો જોઈએ.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!