જૂનાગઢ: માવઠાના કારણે ગિરનાર લીલી પરિક્રમાના પદયાત્રીઓની હાલત કફોડી બની, તંત્ર સામે ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-11-26 17:39:27

ગિરનારની લીલી પરિક્રમા શરૂ થયાને  ચાર દિવસ વીતી ગયા છે. આ વખતે ભાવિકોનો વિક્રમજનક 13.26લાખ લોકોએ મુખ્ય પ્રવેશ દ્વાર ઈટવા ઘોડીથી પ્રવેશ મેળવ્યો છે. હવે આ દરમિયાન જુનાગઢમાં ગાજવીજ સાથે ધોમમાર કમોસમી વરસાદ અને કરાવર્ષા થતા લાખો શ્રધ્ધાળુઓ અટવાઈ ગયા છે. ભાવિક ભક્તોની હાલત એટલી કફોડી બની છે કે કેટલાક તો પરત ફરી રહ્યા છે. હવે આ સ્થિતીમાં જુનાગઢ વહીવટી તંત્રીની તૈયારીઓ પર સવાલ ઉઠ્યા છે. લોકોએ બેદરકાર જુનાગઢ વહીવતી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો આવી જ સ્થિતી ગિરનાર પર્વત પર ચઢનારા લોકોની થઈ છે. રોપ વે બંધ થતા લોકો નીચે ઉતરવું મુશ્કેલ બન્યું છે.  


પદયાત્રીઓ અટવાયા


લીલી પરિક્રમા અને ગિરનાર આવેલા આવેલા ભાવિકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક પરિક્રમાર્થીઓ અટવાયા હતા, તો કેટલાકે ગિરનારની તળેટીમાં વરસાદને મન ભરીને માણ્યો હતો. વરસાદને કારણે ગિરનાર અભયારણ્ય અને પરિક્રમા માર્ગ પર વરસાદને કારણે ભાવિકો માટે જંગલ વિસ્તારમાં ચાલવું ખૂબ મુશ્કેલ હતું. જંગલની માટી અને વરસાદી પાણીને કારણે જમીન એકદમ ચીકણી બની જતાં પ્રવાસીઓને ચાલતી વખતે લપસી જવાનો ડર ઉભો થયો હતો. અચાનક વરસાદને કારણે કેટલાક પરિક્રમાર્થીઓનો સામાન પણ વરસાદી પાણીમાં પલળી ગયો હતો. જો કે હાલ વરસાદને કારણે રોપ વે પણ બંધ હોવાથી ગુરૂ શિખર જવા માંગતા ભાવિકોમાં નિરાશા જોવા મળી હતી.


ગિરનાર યાત્રિકોની સ્થિતી કફોડી


ગિરનાર પર ભારે વરસાદથી હજારો યાત્રીઓ ફસાયા છે. અચાનક મોસમ એ લીધેલ બદલાવના કારણે યાત્રીકોને મુશ્કેલી પડી રહી છે. ગિરનાર પરિક્રમા કર્યા બાદ યાત્રિકો ગિરનાર ચડે છે. મુસાફરો વરસાદથી બચવા કોઈ સુવિધા ન હોવાથી મંદિરોમાં આશરો લઇ રહ્યા છે. ઠંડી સાથે વરસાદ યાત્રિકોની મજા બગાડી રહ્યો છે. ગિરનાર રોપ વે પણ બંધ હોવાથી યાત્રિકોને નીચે આવવામાં માં પણ તકલીફ પડી રહી છે. વૃદ્ધો અને નાના બાળકો પણ સાથે હોય યાત્રિકો ચિંતામાં મુકાયા છે. પોલીસ જવાન પણ રોપ વે ચાલુ ન હોવાથી ફરજ પર પહોંચી શક્યા નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.