Junagadh : ગટરના ઢાંકણાને કારણે ગયો આશાવાદી યુવાનનો જીવ! બરોબર લેવલિંગ ન કરાતા ઢાંકણા સાથે અથડાઈ બાઈક અને....


  • Published By :
  • Published Date : 2023-12-18 10:37:12

અનેક વખત ભૂગર્ભ ગટરને લઈ તો કોઈ રસ્તાના સમારકામને લઈ ખાડા ખોદવામાં આવતા હોય છે. જે કામ માટે ખાડો ખોદવામાં આવતો હોય છે તે પૂર્ણ પણ થઈ જાય છે પરંતુ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલી નાની બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે તેનું ઉદાહરણ જૂનાગઢથી સામે આવ્યું છે. શહેરના ઝાંઝરડા રોડ રસ્તાની નવીનીકરણ બાદ ગટરના ઢાંકણાનું લેવલ કરવામાં આવ્યું નહીં જેને કારણે એક બાઈકસવારને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.  



મનપાની ભૂલને કારણે યુવકે ગુમાવ્યો જીવ!

અનેક વખત ખરાબ રસ્તો છે તેવી ફરિયાદ ઉઠતી હોય છે. રસ્તાનું સમારકામ થાય તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે રસ્તો થોડા સમય પહેલા જ બન્યો હોય અને તેની પર ખાડો ખોદવામાં આવતા હોય! રસ્તાના સમારકામને લઈ ખાડા ખોદવામાં આવતો હોય છે તો કોઈ વખત ભૂગર્ભ ગટરને લઈ. જે કામ માટે ખાડો ખોદવામાં આવતો હોય છે તે પૂર્ણ પણ થઈ જાય છે પરંતુ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલી બેદરકારી કોઈને જીવ લઈ શકે છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. અત્યાર સુધી આપણે રખડતાં ઢોરનાં કારણે લોકોને રસ્તા પર મરતા જોયા ,ખરાબ રસ્તાને કારણે અકસ્માત થતા જોયા અને લોકોને મરતા જોયા પણ હવે એનાથી પણ ભયાનક મનપાની એક નાનકડી ભૂલે કોઈનો જીવ લીધો. 


ગટરના ઢાંકણા સાથે અથડાયું બાઈક, રસ્તા પર પટકાયો યુવક!

ઘટના છે જૂનાગઢ શહેરની. મળતી માહિતી અનુસાર શહેરના ઝાંઝરડા રોડ પર રસ્તાનું સમારકામ કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું. રસ્તાનું નવીનીકરણ થઈ ગયું પરંતુ ગટરના ઢાંકણાનું લેવિંગ કરવા માટે તંત્ર દ્વારા તસ્દી ન લેવામાં આવી જેને કારણે એક આશાવાદી યુવાને પોતાનો જીવ ગમાવ્યો છે. ગટરનાં ઢાંકણાનું લેવલ બરોબર ન હતું જેને કારણે બાઈક ચાલકની ટક્કર થઈ. ગટરનું ઢાંકણું બાઈક સાથે ભટકાતા બાઈક સ્પીલ થઈ ગયું. યુવક રસ્તા પર પડી ગયો, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ન શક્યો. આ નાનકડી ભૂલે એક 22 વર્ષીય આશાસ્પદ યુવકનો જીવ લીધો છે. 


મૃતકના પિતાએ તંત્રને કરી આ અપીલ! 

રસ્તાના અને ભૂગર્ભ ગટરના કામમાં રાખવામાં આવેલી બેદરકારીના કારણે એક પરિવારે જુવાનજોધ પુત્ર ગુમાવવો પડ્યો છે. ત્યારે પરિવારજનોએ ભારે હૃદયે તંત્રને અપીલ કરી છે કે, હવે કોઈને વ્હાલસોયાનો જીવ જાય તે પહેલા આ રસ્તાને વ્યવસ્થિત કરવામાં આવે. 22 વર્ષીય આશાસ્પદ દીકરાનું મોત નિપજતા પૈડા પરિવાર પર આભ ફાટ્યું છે. ત્યારે આ પ્રકારનો અકસ્માત ફરી સર્જાય અને તેમાં કોઈ વ્યકિતએ જીવ ગુમાવવો ન પડે તે માટે મોહિતના પિતા દીપકભાઈએ તંત્રને અપીલ કરી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!