Junagadh : ગટરના ઢાંકણાને કારણે ગયો આશાવાદી યુવાનનો જીવ! બરોબર લેવલિંગ ન કરાતા ઢાંકણા સાથે અથડાઈ બાઈક અને....


  • Published By :
  • Published Date : 2023-12-18 10:37:12

અનેક વખત ભૂગર્ભ ગટરને લઈ તો કોઈ રસ્તાના સમારકામને લઈ ખાડા ખોદવામાં આવતા હોય છે. જે કામ માટે ખાડો ખોદવામાં આવતો હોય છે તે પૂર્ણ પણ થઈ જાય છે પરંતુ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલી નાની બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે તેનું ઉદાહરણ જૂનાગઢથી સામે આવ્યું છે. શહેરના ઝાંઝરડા રોડ રસ્તાની નવીનીકરણ બાદ ગટરના ઢાંકણાનું લેવલ કરવામાં આવ્યું નહીં જેને કારણે એક બાઈકસવારને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.  



મનપાની ભૂલને કારણે યુવકે ગુમાવ્યો જીવ!

અનેક વખત ખરાબ રસ્તો છે તેવી ફરિયાદ ઉઠતી હોય છે. રસ્તાનું સમારકામ થાય તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે રસ્તો થોડા સમય પહેલા જ બન્યો હોય અને તેની પર ખાડો ખોદવામાં આવતા હોય! રસ્તાના સમારકામને લઈ ખાડા ખોદવામાં આવતો હોય છે તો કોઈ વખત ભૂગર્ભ ગટરને લઈ. જે કામ માટે ખાડો ખોદવામાં આવતો હોય છે તે પૂર્ણ પણ થઈ જાય છે પરંતુ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલી બેદરકારી કોઈને જીવ લઈ શકે છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. અત્યાર સુધી આપણે રખડતાં ઢોરનાં કારણે લોકોને રસ્તા પર મરતા જોયા ,ખરાબ રસ્તાને કારણે અકસ્માત થતા જોયા અને લોકોને મરતા જોયા પણ હવે એનાથી પણ ભયાનક મનપાની એક નાનકડી ભૂલે કોઈનો જીવ લીધો. 


ગટરના ઢાંકણા સાથે અથડાયું બાઈક, રસ્તા પર પટકાયો યુવક!

ઘટના છે જૂનાગઢ શહેરની. મળતી માહિતી અનુસાર શહેરના ઝાંઝરડા રોડ પર રસ્તાનું સમારકામ કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું. રસ્તાનું નવીનીકરણ થઈ ગયું પરંતુ ગટરના ઢાંકણાનું લેવિંગ કરવા માટે તંત્ર દ્વારા તસ્દી ન લેવામાં આવી જેને કારણે એક આશાવાદી યુવાને પોતાનો જીવ ગમાવ્યો છે. ગટરનાં ઢાંકણાનું લેવલ બરોબર ન હતું જેને કારણે બાઈક ચાલકની ટક્કર થઈ. ગટરનું ઢાંકણું બાઈક સાથે ભટકાતા બાઈક સ્પીલ થઈ ગયું. યુવક રસ્તા પર પડી ગયો, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ન શક્યો. આ નાનકડી ભૂલે એક 22 વર્ષીય આશાસ્પદ યુવકનો જીવ લીધો છે. 


મૃતકના પિતાએ તંત્રને કરી આ અપીલ! 

રસ્તાના અને ભૂગર્ભ ગટરના કામમાં રાખવામાં આવેલી બેદરકારીના કારણે એક પરિવારે જુવાનજોધ પુત્ર ગુમાવવો પડ્યો છે. ત્યારે પરિવારજનોએ ભારે હૃદયે તંત્રને અપીલ કરી છે કે, હવે કોઈને વ્હાલસોયાનો જીવ જાય તે પહેલા આ રસ્તાને વ્યવસ્થિત કરવામાં આવે. 22 વર્ષીય આશાસ્પદ દીકરાનું મોત નિપજતા પૈડા પરિવાર પર આભ ફાટ્યું છે. ત્યારે આ પ્રકારનો અકસ્માત ફરી સર્જાય અને તેમાં કોઈ વ્યકિતએ જીવ ગુમાવવો ન પડે તે માટે મોહિતના પિતા દીપકભાઈએ તંત્રને અપીલ કરી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.