જૂનાગઢના MLA સંજય કોરડીયાએ સિવિલ હોસ્પિટલની ત્રીજી વખત લીધી સરપ્રાઈઝ વિઝીટ, તબીબો ગેરહાજર રહેતા સુપરિન્ટેન્ડેન્ટનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-06-25 15:13:22

સરકારી હોસ્પિટલો રામ ભરોસે ચાલી રહી છે, સરકારી હોસ્પિટલના તબીબો, નર્સો તથા અન્ય સ્ટાફની ગેરહાજરીથી સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલોમાં તબીબી સારવાર લેવી પડે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલોમાં ચાલતી લાલિયાવાડીથી વાકેફ ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ધારાસભ્ય સંજય કોરડીયાએ હોસ્પિટલની આ ત્રીજી વખત મુલાકાત હોવા છતાં પણ સ્થિતી જેમની તેમ જોવા મળી હતી. ધારાસભ્યે સિવિલના ડીનને  વારંવાર ફોન લગાડ્યો હોવા છતાં તેમણે પણ ફોન રિસીવ કર્યો ન હતો.

ઓપિડી બંધ રહેતા MLA વિફર્યા


જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત અંગે ધારાસભ્યએ જણાવ્યું કે, ડોક્ટરો સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, શનિવારે ઓપીડી બંધ હોય છે. પરંતુ 2022ના સરકારના પરિપત્ર પ્રમાણે સોમથી શનિ સવારે 9 થી 1 અને 4 થી 8 ઓપીડી શરૂ રાખવાની હોય છે. તેમજ રવિવારે પણ અડધો દિવસ ઓપીડી શરૂ રાખવાનો સરકારનો પરિપત્ર છે. તબીબ અધિક્ષક નયના નકુમને ફોન કરતા તેમને કહ્યું હતું કે, અમે મૌખિક રજૂઆત કરેલી છે. ધારાસભ્યએ કહ્યું કે, આ કોઈ પ્રાઇવેટ પેઢી નથી કે મૌખિક રજૂઆત ચાલે. જૂનાગઢ સિવિલની ઓપિડી બંધ રહેતા MLA સંજય કોરડીયાએ વિફર્યા હતા અને તેમણે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટનો ઉધડો લીધો હતો.


ધારાસભ્યએ ટ્વીટ કરી આક્રોસ વ્યક્ત કર્યો


ધારાસભ્ય સંજય કોરડીયાએ હોસ્પિટલની તેમની મુલાકાત અંતે ટ્વીટ કરીને આક્રોસ વ્યક્ત કરતા લખ્યું હતું કે "ઘણા લોકોની ફરિયાદ હતી કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બપોર પછીના સમયમાં ઓ.પી.ડી વિભાગ બંધ હોય છે, ડૉક્ટર્સની ગેરહાજરી હોય છે. આજે ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ માટે પહોંચ્યો અને મેં વિભાગની બેદરકારી જોઇ. જૂનિયર અને સિનિયર સ્ટાફના ભરોસે ઓ.પી.ડી. મૂકીને ડ્યૂટી મૂકીને જતાં રહેતાં ડૉક્ટર્સની ગેરરીતી ચલાવી નહીં લેવાય. ગરીબ લોકો અને પીડાતા દર્દીઓ સાથેની આ વર્તણૂક યોગ્ય નથી. આ દિશામાં યોગ્ય પગલાં જલદી લઈશું !"



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?