જુનાગઢમાં પતિ અને બે પુત્રના મોત બાદ મહિલાએ પણ મોતને વ્હાલું કર્યું, શહેરમાં ઘેરા શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-07-26 18:21:45

જુનાગઢના કડીયાવાડ વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી થવાના કિસ્સામાં સંજય ડાભીની સાથે તેના બે પુત્રો પુત્ર દક્ષ અને તરુણનું મકાનના કાટમાળ નીચે દટાઈ જવાને કારણે મોત થયું હતું. હવે મૃતક સંજય ડાભીના ધર્મપત્નીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કરતા જૂનાગઢ શહેરમાં ભારે ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગઈ કાલે પતિ અને બે પુત્રોને ગુમાવનાર મયુરીબેન ગંભીર આઘાતમાં સરી પડ્યા હતા. તેમણે એસીડ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું હતું.


સારવાર દરમિયાન મોત


બિલ્ડીંગ ધરાશાઈ થવાની ઘટનામાં પતિ અને બે બાળકોને ગુમાવનાર મયુરી બેન ખૂબ જ ભાંગી પડ્યા હતા. પતિ અને બે માસુમ પુત્રનું મોત થતા તેનો આઘાત તેવો જીરવી શક્યા નહી હોય અને આઘાતજનક પરિસ્થિતિમાં આજે મહિલાએ અચાનક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મયુરીબેન સંજયભાઈ ડાભીએ આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઈ હતી. મયુરી બેનએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં હાલ તો મહિલાની હાલત બેભાન અવસ્થામાં હોસ્પિટલના બેડ પર ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા. તેઓનું નિવેદન હજુ સુધી પોલીસ મેળવી શકી નથી. સમગ્ર મામલામાં એફઆઇઆર કરવાની લઈને પણ હજુ કામગીરી શરૂ થઈ નથી પરંતુ ગઈ કાલના અકસ્માતના આઘાતમાં મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે.


શું હતી સમગ્ર ઘટના?


જૂનાગઢની દાતાર રોડ પર કડિયાવાડ શાકમાર્કેટના પાછલા વિસ્તારમાં 40 વર્ષ જૂનું જર્જરિત થયેલી બે માળની ધરાસાયી થતા ચાર વ્યક્તિના મકાનના કાટમાળમાં દબાઈ જવાથી મોત થયા છે. ચાર લોકોના મોતના કારણે જૂનાગઢ આખું ઘેરા શોકની લાગણીમાં જોવા મળી રહ્યું છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.