મહીસાગર જિલ્લાના ભાજપના બળવાખોર નેતાનું પાટીલે કર્યું સહર્ષ સ્વાગત, જે.પી.પટેલે ફરી કેસરીયો ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-06 14:16:29

ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા નેતાઓનું ભરતી અભિયાન શરૂ કર્યું છે. વિરોધ પક્ષોના આગેવાનો અને અગ્રણી પદાધિકારીઓને કેશરીયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકારવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા કોંગ્રેસના નેતાઓની સાથે સાથે હવે આપ નેતાઓને પણ ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, આ કડીમાં હવે બાલાસિનોરના આપના નેતા ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાઇ ગયા છે. ઉદયસિંહ ચૌહાણ ઉપરાંત ભાજપના પૂર્વ મહીસાગર જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ)એ પણ ઘરવાપસી કરી છે. ઉદયસિંહ ચૌહાણ તથા જે.પી.પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાજરીમાં આજે કેસરિયા ધારણ કરી લીધો છે. જે.પી.પટેલ અને ઉદેસિંહ ચૌહાણ સહિત લુણાવાડા, મહીસાગર અને ખેડા જિલ્લાના આગેવાનો અને સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામને સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. 


પક્ષ પલટુ નેતાઓનું ભાજપમાં સહર્ષ સ્વાગત


લોકસભાની ચૂંટણી પહેલા મહીસાગર જિલ્લાના બે કદાવાર નેતાઓએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. ભાજપના પૂર્વ મહીસાગર જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ) જેઓ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી લુણાવાડા વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો ઉદયસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા અને બાલાસિનોર વિધાનસભા કોંગ્રેસના કદાવર નેતા અને જૂના જોગી હતા. જેઓ ચૂંટણી ટાણે મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બાદમાં બાલાસિનોર વિધાનસભા બેઠક પર 'આપ'માંથી તેઓએ ગત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. આમ આજે આ બંને પક્ષ પલટુ નેતાઓ ભાજપમાં જોડાયા છે.


કમલમ ખાતે યોજાયો નેતાઓનો ભરતી મેળો


જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ) અને ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે બંને નેતાઓએ ખેસ ધારણ કર્યો હતો. આ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર કમલમ ખાતે તમામ કાર્યકર્તાઓનું બીજેપીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.


પાટીલ અને વાઘાણીએ બળવાખોરો સામે આપ્યું હતું ઉગ્ર નિવેદન


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અગાઉ બળવાખોરોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે બળવાખોરો જીતી જશે તો પણ ભાજપમાં નહીં મળે સ્થાન નહીં આપવાની ચીમકી આપી હતી. આ જ પ્રકારે લુણાવાડામાં જ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ ભાજપ સાથે દ્રોહ કરનારાને પાર્ટીમાં પાછા લેવામાં નહીં આવે તેવું સોઈ ઝાટકીને કહ્યું હતું. જો કે આજે જે સી આર પાટીલે જ જે.પી.પટેલ સહિતના બળવાખોરોને સહર્ષ આવકાર્યા છે.


પક્ષ પલટુ નેતાઓ અંગે કાર્યકરો બેવાર વિચારે


કોઈ પણ પાર્ટીના નેતાના કાર્યકરો તેના નેતાની આંધળી ભક્તિ કરતા હોય છે. નેતા પર ભરોસો રાખીને તેને સમર્થન આપતા અને ચૂંટણી પ્રચારમાં દિવસ-રાત મહેનત કરતા હોય છે. જો કે આ નેતાઓ ચૂંટણી જીત્યા બાદ કાર્યકરોને પૂછ્યા વગર જ પક્ષપલટો કરતા હોય છે, આ વખતે કાર્યકરોની હાલત કફોડી થાય છે. વિરોધી પાર્ટીમાં જોડાતા તેમના નેતાઓને જીતાડવા માટે તેમણે તે પાર્ટી સામે જ પ્રચાર કર્યો હોય છે. જો કે આ મોટા નેતાઓ કાર્યકરોની લાગણીની ચિંતા કર્યા વગર પક્ષ પલટો કરે ત્યારે કાર્યકરો પણ જાણે તેમની જાગીર હોય તેમ તેમનો પણ પક્ષપલટો કરાવતા હોય છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!