અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ ગુજરાત પહોંચશે જેપી નડ્ડા, મિશન 2024નો કરશે શુભારંભ


  • Published By :
  • Published Date : 2024-01-22 11:01:36

અયોધ્યમાં રામ મંદિરના ઉદઘાટન અને રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ બિજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતનો પ્રવાસ કરશે. નડ્ડા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો શુભારંભ કરાવશે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) સાથે મળીને ચૂંટણી લડશે તેવી શક્યતાઓ જોતા ભાજપ અધ્યક્ષનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે. બિજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડા ગાંધીનગરમાં લોકસભા સીટોના ચૂંટણી કાર્યલયની શરૂઆત કરશે. પરંતું તે સાથે જ રાજ્યના નેતાઓ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે પણ ચૂંટણી રણનિતી પર ચર્ચા કરશે.  


વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે


બિજેપી અધ્યક્ષ તેમના ગાંધીનગર કાર્યાલયની સાથે જ રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે તૈયાર કરાયેલા ચૂંટણી કાર્યાલયોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. રાજ્યની તમામ 26 લોકસભા સીટો પર બિજેપીનો કબજો છે. જો કે આ વખતે આપ અને કોંગ્રેસ ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. વર્ષ 2019માં રાજ્યની 15 લોકસભા સીટો પર બિજેપીનો કબજો હતો. જો કે મોદીની પ્રધાનમંત્રી પદ માટે જાહેર થયા બાદ કોંગ્રેસ રાજ્યમાં શૂન્યમાં સમેટાઈ ગઈ છે. 

 

કમલમમાં ભાજપ પદાધિકારીઓ સાથે બેઠક


જેપી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યમાં પાર્ટી દ્વારા થઈ રહેલી ચૂંટણી તૈયારીઓનું પણ નિરિક્ષણ કરશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ પાર્ટીના પ્રદેશ કાર્યલય કમલમમાં પાર્ટીના સ્થાનિક નેતાઓ અને અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ મિટિંગ કરી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. જેપી નડ્ડા કાર્યલયમાં જ  લોકસભા ચૂંટણી માટે તૈયાર કરાયેલું  પ્રેઝન્ટેશન પણ જોશે. આમ આ વખતની ભાજપ અધ્યક્ષ નડ્ડાની ગુજરાત મુલાકાત સંપુર્ણપણે ચૂંટણીલક્ષી બની રહેશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.