જે.પી.નડ્ડા અને સી.આર.પાટીલ બન્યા કેબિનેટમાં મંત્રી, ભાજપને બે અધ્યક્ષ શોધવા પડશે. આ નામોની થઈ રહી છે ચર્ચા..


  • Published By :
  • Published Date : 2024-06-10 17:45:27

ત્રીજી વખત ગઈકાલે નરેન્દ્ર મોદીએ પીએમ તરીકેના શપથ લીધા છે.. તેમની સાથે સાથે 72 સાંસદોએ શપથ લીધા છે. ગુજરાતના નેતાઓની બહું ચર્ચા છે અને એમાંથી એક છે સી.આર.પાટિલ બીજા જે.પી.નડ્ડા છે.. બંને અધ્યક્ષ છે.. એક કેન્દ્રના અને એક ગુજરાતના.. અને હવે ભાજપને 2 નવા અધ્યક્ષ શોધવા પડશે. અધ્યક્ષ તરીકે અનેક નામોની ચર્ચા થઈ રહી છે.. 


આ નેતાઓના નામની થઈ રહી છે ચર્ચા.. 

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા થવી સ્વભાવિક છે. સાથે જ રાજ્ય સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતાઓ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે પક્ષના વરિષ્ઠ અને સંગઠનના અનુભવી નેતાની પસંદગી થાય એવી શક્યતા છે. હાલ પ્રદેશ અધ્યક્ષમાં મુખ્ય 6 જેટલા નામ ચર્ચામાં છે. આ નામમાં દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે. 



જો કોઈ સરપ્રાઈઝ મળે તો પણ નવાઈ નહીં કારણ કે.. 

પણ ભાજપ જેના માટે એવું કહેવાય છે કે એમ કોઈ નેતા બદલવાના હોય તો કોઈને ખબર નથી પડતી બધા prediction ખોટ પડે છે એટલે આમાંથી પણ કોઈ નામ ના હોય અને નવો ચહેરો જ ઉતારવામાં આવે તેવી શક્યતાઓ પૂરે પૂરી છે.. અત્યારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન સૌથી વધારે પ્રભાવિત હતું એટલે અત્યારે સંગઠનમાં કોઈ ક્ષત્રિય નેતાને મોટું પદ મળી શકે તેવી સાંભવન છે 


આ નેતાઓના નામની હતી ચર્ચા

હવે દેશની વાત કરીએ તો ગઈકાલ સુધી જે નામો સામે આવી રહ્યા હતા તેમાં ભૂપેન્દ્ર યાદવ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ અને ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. પરંતુ તમામે જેપી નડ્ડા સાથે મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા છે. તેથી, આ તમામ નામો હવે રેસમાંથી બહાર છે. જોકે બીજા અનેક નામો પણ આવ્યા છે જેમાં અનુરાગ ઠાકુર પણ છે.. જોકે આપણે જાણીએ જ છીએ કે ભાજપ હમેશા સરપ્રાઇઝ આપવામાં માને છે એટલે આ પદ માટે પણ કોનું નામ ખૂલે છે કોને લોટરી લાગે છે એ જોવાનું રહ્યું. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.