અમેરિકામાં એક વ્યક્તિને કેન્સર થયું, જોન્સન એન્ડ જોન્સનએ ચૂકવવા પડશે 18.8 મિલિયન ડોલર


  • Published By :
  • Published Date : 2023-07-19 15:09:29

અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીએ કેલિફોર્નિયામાં એક વ્યક્તિને 18.8 મિલિયન ડોલર (રૂ.154 કરોડ) ચૂકવવા પડશે. વ્યક્તિએ દાવો કર્યો હતો કે કંપનીના બેબી પાવડરના કારણે તેને કેન્સર થયું છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ડિફોલ્ટ સ્ટેટ કોર્ટમાં ન્યાયાધીશોએ સંપૂર્ણ કેસની સુનાવણી કર્યા પછી, પીડિત, એમોરી હર્નાન્ડીઝ વલાડેઝની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, કંપનીને ચૂકવણી કરવાનો આદેશ આપ્યો. વલાડેઝે ગયા વર્ષે કંપની સામે દાવો કર્યો હતો.


વ્યક્તિએ શું દાવો કર્યો હતો?


કોર્ટે 24 વર્ષીય પીડિત વલાડેઝએ જણાવ્યું કે બાળપણથી જ તે કંપનીનો બેબી પાઉડરનો ઉપયોગ કરવાથી તેને છાતી નજીક મેસોથેલિયોમા નામની  કેન્સરની બીમારી થઈ છે. રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ચુકાદો આવ્યા બાદ કંપનીના ફરિયાદી મામલાના ઉપાધ્યક્ષ એરિક હાસે નિવેદનમાં જણાવ્યું કે કંપની આ ચુકાદા સામે અપીલ કરશે. તેમણે કહ્યું કે જોહન્સનનો બેબી પાઉડર સુરક્ષિત છે. તેમણે જાણકારી આપી કે પાઉડરમાં એસ્બેસ્ટસ નથી અને આ કેન્સરનું કારણ ન હોઈ શકે. 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.