JNUમાં વિરોધ કરવા પર રૂ.20 હજાર અને રાષ્ટ્ર વિરોધી નારાબાજી પર 10 હજારનો દંડ, વિદ્યાર્થીઓમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-12 14:12:54

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ફરી એકવાર નવા નિયમો લાગુ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નિયમ બાદ અહીંના વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે. નિયમો અનુસાર, યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરવા બદલ વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય જો કોઈ દેશ વિરોધી નારા લગાવશે તો તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પોતાના હિત માટે યુનિવર્સિટીમાં આંદોલન કરીને સમયાંતરે પોતાની માંગણીઓ ઉઠાવતા હતા તેઓ હવે તે માંગણીઓ ઉઠાવી શકશે નહી. આ માટે 20,000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીની અંદર દેશ વિરોધી નારા લગાવશે તો તેના પર 10,000 રૂપિયાનો દંડ પણ લાગશે.


JNUના વિદ્યાર્થીઓમાં નારાજગી


જો કે નવા આદેશ બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ દરમિયાન એબીવીપીના સભ્ય અને મીડિયા ઈન્ચાર્જ અંબુજ તિવારીએ કહ્યું કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો આ નવો તુઘલકી ફરમાન આવી ચૂક્યો છે, જેની સામે અમે ઘણો વિરોધ કર્યો હતો અને પછીથી તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, જો કે હવે ફરી એક વખત તે આદેશ આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવાનું કહેવાય છે. આ બિલકુલ ખોટું છે કારણ કે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે.


માર્ચમાં પણ આદેશ કરાયો હતો


ઉલ્લેખનિય છે કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માર્ચ મહિનામાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં કેમ્પસમાં વિરોધ કરવા પર વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ અને હિંસા કરવા બદલ તેમનો પ્રવેશ રદ થઈ શકે છે અથવા 30,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ત્યારે આ મામલે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. બાદમાં તેને પણ પાછી ખેંચી લેવામાં આવ્યો હતો પરંતુ આજે ફરી JNUમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે બાદ વિદ્યાર્થી સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.