જીતુ વાઘાણી એ કહ્યું "AAP નો અસલી ચહેરો ખુલ્લો પડ્યો "


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 21:03:09

દિલ્હી કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં હજારો લોકો દ્વારા રામ અને કૃષ્ણને ભગવાન માનવા શપથ લેતા વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ભાજપએ વિડિયો દ્વારા ઘેરવાનો પ્રયાસ કર્યો ગુજરાતમાં પણ ભાજપે બાબતને મુદ્દો બનાવી AAPને ઘેર્યું છે.

 

આપ પર કર્યા પ્રહાર !!!

અંગે જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ આયોજિત કરીને કહ્યું આમ આદમી પાર્ટીના નેતા માત્ર ધર્માંતરણના કાર્યક્રમમાં હાજર રહે છે પરંતુ હિંદુ દેવી દેવતાઓને પુજીશું નહી તેવા શપથ પણ લેવડાવે છે. આમ આદમી પાર્ટીની હિન માનસિકતા છતી કરે છે. જે પ્રકારે હિંદુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે તે ગુજરાતીઓ સહન નહી કરે.

વધુમાં તેમણે આક્ષેપ લગાવતા કહ્યું હું ચેતવણી આપુ છું કે હિંદુ સમાજની અગ્નિ પરિક્ષા લેવાનું બંધ કરો. કેજરીવાલનો નાટકીય ચહેરો ખુલ્લો પડ્યો છે. નાટક કંપનીએ અત્યાર સુધી મંત્રી પર કોઇ પગલા નથી લીધા.તે તેના ઇરાદો સ્પષ્ટ કરે છે. ભુતકાળમાં પણ કાશ્મીર ફાઇલમાં પંડિતો વચ્ચે, તોફાનોમાં તમારા મંત્રીઓ સંડોવાયેલા છે. ટુકડે ટુકડે ગેંગને પણ તમે સપોર્ટ કર્યો છે. તમારા આચરણ અને વ્યવહારમાં બંન્નેમાં વસ્તું છે તમારા ચાવવા અને બતાવવાના બંન્ને દાત ખુલ્લા પડ્યા છે. નેતા વિરુદ્ધ કડકમાં કડક પગલા તમારામાં હિંમત હોય તો લો.

 

દિલ્હીમાં ધર્માંતરણના કાર્યક્રમ

ધર્માંતરણનો અવડો મોટો કાર્યક્રમ થાય અને દિલ્હીમાં આયોજિત થાય છે રાજધાનીમાં આવા કાર્યક્રમ થાય તે બાબત શરમજનક છે જાહેરમાં પ્રકારના શપથો વખતે બંધારણીય શપથ લીધા હોય તેવી વ્યક્તિ હાજર રહે તે હિંદુ સમાજનું અપમાન કરીને તેના પર થુંકવાનુ પાપ કર્યું છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.