બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીનો બફાટ, "રાજ્યમાંથી દારૂબંધી હટાવે તેને જ મત આપો"


  • Published By :
  • Published Date : 2023-08-23 14:53:33

બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીના એક નિવેદને દેશભરમાં વિવાદ જગાવ્યો છે. તેમણે બિહારના વજીરગંજના પતેડ મંગરાવા ગામમાં મહાદલિત સંમેલનમાં લોકોને મળવા પહોંચ્યા હતા. આ સંમેલનમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં દારૂના નામે આબકારી અને પોલીસની હેરાનગતિ વધી ગઈ છે. હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)ના પ્રમુખે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 7 વર્ષોથી દારૂ પર પ્રતિબંધ છે અને આ કાયદાના કારણે માત્ર ગરીબ લોકોને દંડિત કરવામાં આવી રહ્યા છે.


દારૂબંધી હટાવે તેને જ મત આપો


પોલીસના અત્યાચારના મામલે લોકોએ પૂર્વ સીએમ જીતનરામ માંઝી સમક્ષ તેમની વેદના રજુ કરી હતી. આ સાંભળી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે લોકોને સંબોધતા કહ્યું  કે જે સરકાર બાલૂ, દારૂ અને તાડી વેચવાનું શરૂ કરવાની મંજુરી આપે તેને જ મત આપવાનો છે. માંઝીએ વધુમાં કહ્યું કે, દરેક લોકો જાણે છે કે, મોટા ભાગના IAS અને IPS અધિકારીઓ, ડોક્ટર્સ, બિલેડર, કોન્ટ્રાક્ટર, મંત્રી અને રાજનેતાઓ રાત્રે 10 વાગ્યા બાદ દારૂનું સેવન કરે છે પરંતુ તેમને દંડિત કરવામાં નથી આવતા. બીજી તરફ ગરીબ મજૂર જે આખો દિવસ મહેનત કર્યા બાદ દારૂ પીવે તો તેઓ અપરાધી બની જાય છે. કારણ કે, તેઓ પોલીસ અને આબકારી વિભાગ માટે સરળ ટાર્ગેટ બની જાય છે.


ઝેરી દારૂ બનાવવામાં આવી રહ્યો છે


જીતનરામ માંઝીએ વધુમાં કહ્યું કે જ્યારે અમે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે હતા. તે સમયે પણ અમે કહ્યું હતું કે દારૂબંધી બરાબર છે, પરંતુ બિહારમાં દારૂબંધીને લઈને જે નાટક ચાલી રહ્યું છે તે બંધ કરવામાં આવે. માંઝીએ કહ્યું કે બિહારમાં દારૂબંધીને કારણે મહાદલિત સમુદાયનું સૌથી વધુ શોષણ થઈ રહ્યું છે, તેને જલદીથી રોકવું જોઈએ. માંઝીએ વધુમાં કહ્યું કે અમારા પિતા પણ દારૂ બનાવતા હતા, પરંતુ આજકાલ જે દારૂ બનાવવામાં આવી રહ્યો છે તે ઝેરી છે. જીતનરામ માંઝીએ કહ્યું કે જ્યારે મારા પિતા ઘરે દારૂ બનાવતા હતા ત્યારે તેને બનાવવામાં સાતથી આઠ દિવસ લાગતા હતા. જો કે આજકાલ દારૂ માફિયાઓ બે કલાકમાં જ દારૂ બનાવી રહ્યા છે. દારૂ બનાવવામાં યુરિયા અને અન્ય ઝેરી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.