Rajkot TRP આગકાંડના મૃતકોને ન્યાય મળે તે માટે Jignesh Mewani મેદાને! જીગ્નેશ મેવાણીએ રિક્ષામાં ફરી લોકસંપર્ક કર્યો, જુઓ શું અપીલ કરી?


  • Published By :
  • Published Date : 2024-06-11 16:05:10

ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સિસ્ટમમાં બધુ મળે છે માત્ર ન્યાય નથી મળતો. જ્યારે જ્યારે દુર્ઘટના સર્જાય છે તે બાદ તપાસ માટે એસઆઈટીની રચના થાય છે.. એસઆઈટી તપાસ પણ કરે છે પરંતુ તે બાદ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી થતો.. એવી કડક કાર્યવાહી નથી કરવામાં આવતી જેને લઈ બીજાને બોધપાઠ મળે.. મૃતકોના પરિવારને ન્યાય મળે તેવી આશા હોય છે પરંતુ તેમને ન્યાય નથી મળતો. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે અને આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણીએ 25 જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે. તે ઉપરાંત 15 જૂનના રોજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.     

રાજકોટ અગ્નિકાંડ મામલે વિપક્ષ મેદાને

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા અને હજુ સુધી ન્યાય નથી મળ્યો.... 25 મેના રોજ આ ઘટના બની હીતી... 16 દિવસથી પરિવારજનો ન્યાય માટે રાહ જોઈ રહ્યાં છે... તપાસ કેટલે પહોંચી એ પણ કોઈને ખબર નથી... અંદરો-અંદર શું ખીચડી રંધાઈ રહી છે એ જ ખબર નથી પડતી... વિપક્ષે હવે મુહિમ ચાલુ કરી છે કે ન્યાય મળવો જ જોઈએ... જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના નેતાઓ ત્રણ દિવસ ધરણા પર બેઠા હતા.. ઉપવાસ આંદોલન પણ ચલાવ્યું.. હવે 15 જૂનના રોજ ઉગ્ર આંદોલન કરવાના છે અને 25 જૂને રાજકોટ બંધનું એલાન જિગ્નેશ મેવાણીએ આપ્યું છે... 



જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓએ કર્યો ઉપવાસ 

લોકોનો સંપર્ક કરીને તેમને સમર્થન આપવા માટે સમજાવાય રહ્યાં છે.... લોકોની સંવેદનાને જગાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.. જ્યારે ઉપવાસ આંદોલન શરુ થયું એ પહેલા પણ લોકસંપર્ક કર્યો, પત્રિકાઓ વહેંચવામાં આવી...આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી. જો SITમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની SIT બનાવવામાં આવે એ જરૂરી છે.... જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે અહીં બેઠા છીએ... 



કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવી માગ?

આ ઉપરાંત કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે, પીડિત પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. સરકારના ભ્રષ્ટ તંત્રને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે દરેક પીડિત પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે.... રિક્ષા સવારી દરમિયાન તેમણે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. જિજ્ઞેશ મેવાણીએ ઓટોરિક્ષાની સવારી કરી લોકોને કરી અપીલ : રેસકોર્સ રિંગરોડ પર રાજકોટીયનોને અગ્નિકાંડ મામલે પત્રિકા વિતરણ કરી ૧૫ જુનના પોલીસ કમિશનર ઓફિસ ઘેરાવ અને ૨૫ જુનના રાજકોટ બંધના એલાનમાં જોડાવા અપીલ કરી...



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે