જીગ્નેશ મેવાણી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે, કનૈયા કુમાર રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2022-11-14 16:35:59

વડગામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે ફરીવાર તેમને વડગામનું સુકાન સોંપ્યું છે ત્યારે તેઓ આવતીકાલે કોંગ્રેસના કનૈયા કુમારની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરશે. વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ સત્તાવાર રીતે જાહેરાત કરીને જણાવ્યું હતું કે આવતીકાલે જાહેર સભાઓ બાદ જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે કોંગ્રેસ પક્ષમાંથી વડગામના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે. 

Curious case of MLA Jignesh Mevani: Appointed Gujarat Congress working  president, attracts disqualification | India News - Times of India

આવતીકાલે મેવાણીનો શું છે પ્લાન?

આવતીકાલે સવારે નવ વાગ્યે જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે ભાંગરોડિયા ગામથી વડગામ સુધી બાઈક રેલી કરશે. ત્યાર બાદ સવારે દસ કલાકે જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારની વીજે સ્કૂલ ખાતે સભા યોજાવા જઈ રહી છે. સભા બાદ બપોરે દોઢ વાગ્યે જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે મામલતદાર કચેરી ખાતે વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરશે. 

What Kanhaiya Kumar actually brings to Congress - India Today

ભારત જોડો યાત્રામાં કનૈયા રાહુલ ગાંધી પછીનો સૌથી મોટો ચહેરો

ગઈકાલે કોંગ્રેસના 33 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. આ સાથે જ કોંગ્રેસના કુલ 144 ઉમેદવારો કોંગ્રેસે જાહેર કરી દીધા છે. કોંગ્રેસે વડગામથી જીગ્નેશ મેવાણીને ઉતારવાની જાહેરાત કરી દીધી છે. કનૈયા કુમારે ટૂંક સમય પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર પણ હાજરી આપી હતી. કનૈયા કુમારને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જાહેરાત કરી હતી કે કનૈયા કુમારની લોકપ્રીયતા જોઈને લાગી રહ્યું છે કે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી પછીના સૌથી મોટા નેતા કનૈયા કુમાર છે. આથી જીગ્નેશ મેવાણી પોતાના પ્રચાર માટે કનૈયા કુમારના ચહેરાનો ઉપયોગ કરશે તેવું લાગી રહ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.