કલેક્ટર કચેરી ખાતે જઈ જીજ્ઞેશ મેવાણીએ આપ્યું આવેદનપત્ર


  • Published By :
  • Published Date : 2022-12-10 11:45:34

કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ભાજપે પ્રચંડ જીતનો રેકોર્ડ તોડ્યો છે જ્યારે કોંગ્રેસે હારનો રેકોર્ડ તોડ્યો છે. કોંગ્રેસના અમુક ઉમેદવારો જ વિજયી બન્યા છે તેમાં વડગામથી લડી રહેલા જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે. જીતના બીજા દિવસથી જ તેમણે કામ શરૂ કરી દીધું અને પાલનપુર કચેરી ખાતે પહોંચી પોતાના પ્રશ્નનોની રજૂઆત કરી અને નર્મદાના નીરની વડગામ સુધી લાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.

  

જીત્યાના બીજા દિવસથી કામ કરવાનો કર્યો પ્રારંભ 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે. પરંતુ કોંગ્રેસે આ વખતે એકદમ નબળું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે બેસી શકે તેટલી સીટો પણ હાંસલ નથી કરી. માત્ર 17 સીટો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ. સૌ કોઈની નજર વડગામથી લડી રહેલા જીજ્ઞેશ મેવાણી પર હતી. જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના એવા નેતાઓમાંથી છે જેમણે જીત હાંસલ કરી છે. વિજેતા બનેલા જીજ્ઞેશ મેવાણીએ બીજા દિવસથી જ કામગીરીની શરૂઆત કરી દીધી છે.     


પાલનપુર કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે 2017ની જેમ મેં મારૂ કામ શરૂ કરી દીધું છે. અનેક પ્રોજેક્ટને પરવાનગી મળી ગઈ છે પરંતુ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. સરકારને અનેક પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેમાં ગરીબો માટે ઘર બનાવાની યોજના, સ્થાનિય કોલેજને ગ્રાન્ટ આપવાની વાતો પણ તેમણે કરી હતી. અને કલેક્ટરને આવેદનપત્ર આપી વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાનું પાણી લાવવા આવેદનપત્ર આપ્યું હતું.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.