હરેન પંડ્યાની હત્યાનો ઉલ્લેખ થતાં જ ભાજપના ધારાસભ્યોના પેટમાં તેલ કેમ રેડાયું, વિધાનસભામાં હોબાળો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-03-21 17:15:33

PMOના એડિશનલ ડાયરેક્ટર બની કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા અને સરકારી ખર્ચે તાગડધિન્ના કરતા પકડાયેલા મહાઠગ કિરણ પટેલનો મામલો આજે વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને જિજ્ઞેશ મેવાણી સહિતના ધારાસભ્યોએ કિરણ પટેલ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ગૃહ વિભાગની માગણીઓની ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ નેતા અને ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાનું નામ આવતા જ ગૃહમાં મામલો ગરમાયો હતો.


જિજ્ઞેશ મેવાણીની ટિપ્પણીથી ગૃહમાં હોબાળો


વિધાનસભામાં ગુજરાતના મહાઠગ કિરણ પટેલના મુદ્દે સરકારી કામગીરી સામે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલો કર્યા હતાં. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડે સરકારનો બચાવ કર્યો હતો. આ દરમિયાન ઉદય કાનગડે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસનમાં મંત્રીની હત્યા થતી હતી. આ સાંભળી કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ તરત જ વેધક કોમેન્ટ કરી હતી કે હરેન પંડ્યાની હત્યા ભાજપના શાસનમાં થઈ હતી. જિજ્ઞેશ મેવાણીની આ ટિપ્પણીથી શાસક પક્ષ ભાજપના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા. મામલો વણસતો જોઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દરમિયાનગીરી કરતા અંતે હોબાળો શાંત થયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.