જીયા ખાન આત્મહત્યા કેસનો કાલે આવશે ચુકાદો, અભિનેતા સુરજ પંચોલી છે મુખ્ય આરોપી


  • Published By :
  • Published Date : 2023-04-27 18:10:44

નિ:શબ્દ ફિલ્મથી પોતાની કરિયર શરુ કરનારી જીયા ખાને માત્ર પચીસ જ વરસની ઉંમરે આ દુનિયામાંથી ચૂપચાપ વિદાય લઇ લીધી હતી. બોલિવુડ અભિનેત્રી જીયા ખાનનો મૃતદેહ 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જીયા ખાનની આત્મહત્યા બાદ તેના ઘરમાંથી તેની સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. આ ઘટના બાદ બોલિવુડમાં ખળભળાટ મચી ગયો હતો. 


સૂરજ જિયા સાથે ગેરવર્તન કરતો હતો


તાજેતરમાં જ જિયા ખાનની માતાએ જ્યારે સીબીઆઈ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સૂરજ જિયાનું શારીરિક અને શાબ્દિક રીતે શોષણ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ અને સીબીઆઈ બંનેએ આ સાબિત કરવા માટે કોઈ પુરાવા એકત્ર કર્યા નથી.


સુરજ પંચોલી મુખ્ય આરોપી


જીયા ખાન આત્મહત્યા કેસમાં ફિલ્મ અભિનેતા અને જીયા ખાનના બોયફ્રેન્ડ સુરજ પંચોલી મુખ્ય આરોપી છે. તેના પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 20 એપ્રીલે સીબીઆઈના સ્પેશિયલ જજ એએસ સૈયદે બંને પક્ષોની છેલ્લી દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી સુધી તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. હવે જીયા ખાન મામલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ આવતી કાલે એટલે કે 28 એપ્રીલ સવારે 10.30 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવશે.    


કોર્ટે માતા રાબિયાની અરજી ફગાવી હતી


દિવંગત અભિનેત્રી જીયા ખાનની માતા રાબિયા ખાને પણ આ કેસમાં સૂરજ પંચોલી પર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, સૂરજ પંચોલીની 10 જૂન 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને બે અઠવાડિયાથી વધુ કસ્ટડીમાં ગાળ્યા પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી જુલાઈ 2014માં મામલો સીબીઆઈ પાસે ગયો. જીયાની માતાએ પણ કહ્યું હતું કે આ હત્યા નહીં પરંતુ આત્મહત્યા હતી. આ પછી, બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે આ મામલે નવેસરથી તપાસની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે