ઝારખંડ: હેમંત સોરેનની 7 કલાકની પૂછપરછ બાદ EDએ કરી ધરપકડ, ચંપઇ સોરેન બનશે નવા CM


  • Published By :
  • Published Date : 2024-01-31 21:23:33

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડને લઈને થઈ રહેલી અટકળો પર આજે પૂર્ણવિરામ લાગી ગયું છે. કથિત જમીન કૌંભાંડમાં ઈડીની પૂછપરછથી ભાગતા હેમંત સોરેનની આજે રાંચીમાં ઈડીના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ 7 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ પણ ઈડી સોરેનના જવાબોથી સંતુષ્ટ ન થતાં ઈડીએ તેમની ધરપકડ કરી લીધી છે. ત્યાર બાદ  હેમંત સોરેન રાજભવન પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમના સ્થાને ચંપઈને મુખ્યમંત્રી બનાવવાની ભલામણ કરી છે. ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. 


ચંપઈ સોરેન નવા સીએમ


ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા ઝારખંડ મુક્તી મોરચા(JMM)ના નેતા રાજેશ ઠાકુરે જણાવ્યું હતું કે ચંપઈ સોરેનના નામ પર સર્વસંમતિ સધાઈ છે. શાસક પક્ષના તમામ ધારાસભ્યોએ ચંપઈ સોરેનને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. આ અંગે બન્ના ગુપ્તાએ કહ્યું હતું કે અમે ચંપઈ સોરેનને  ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે.


રાંચીમાં કલમ 144 લાગુ 


હેમંત સોરેનની ધરપકડ બાદ રાંચીના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ છે. સીએમ આવાસ, રાજભવન, બીજેપી ઓફિસ સહિત રાંચીના વિવિધ વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યાં માઈકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.