અમદાવાદમાં મોડી રાત્રે 3.50 કરોડના દાગીનાની લૂંટ


  • Published By :
  • Published Date : 2022-11-08 12:14:35

અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે લૂંટની મોટી ઘટના બની હતી. જેથી અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. અમદાવાદના શાહપુરમાં કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. સેક્ટર 1 નીરજ બડગુજર સહિત ક્રાઈમબ્રાંચની ટીમ દોડી આવી હતી.


6 કિલો સોનાની દાગીનાની લૂંટ 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે બની લૂંટની ઘટના બની હતી. અંદાજે 3.5 કરોડની કિંમતના 6 કિલો સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. એસ એસ તીર્થ ગોલ્ડના બે કર્મચારીઓ એક્ટિવા પર સવાર થઈને નીકળ્યા હતા. પરાગ અને ધર્મેશ નામના બે કર્મચારીઓને બાઈક સવાર 2 લૂંટારુઓએ શિકાર બનાવ્યા હતા. કર્મચારીઓ બપોરે સીજી રોડ રોડથી નીકળી નરોડા, નિકોલ અને બાપુનગર થઇને શાહપુર તરફ આવ્યા હતા. એક્ટિવાની આગળ મુકેલી 2 પૈકી 1 બેગ લૂંટીને લૂંટારુઓ ફરાર થયા હતા.


લૂંટ થયા બાદ કર્મચારીઓએ પીછો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લૂંટારુઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો. જેના બાદ પોલીસ દોડતી થઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. હાલ પોલીસે ઘટનાસ્થળ આસપાસના cctv ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.