જેતપુર સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ


  • Published By :
  • Published Date : 2023-09-06 19:20:51

રાજ્યના લોકોના જાનમાલની રક્ષા કરનારા તથા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનારા પોલીસકર્મીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેતપુર પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈને આપઘાત કરતા અરેરાટી મચી ગઈ છે. મૃતક મહિલા કોન્સ્ટેબલ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા. મહિલા પોલીસના આપઘાતને કારણે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.  


ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું


જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયાએ આપઘાત કર્યો છે. તેમણે પોલીસ લાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મહિલા કોન્સ્ટેબલ દયાબેન જસદણના શિવરાજપુરની વતની છે. કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયા (25)એ આજે પોતાના પોલીસ ક્વાર્ટરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આજે સવારે દરવાજો ખટખટાવવા છતાં દયાબેને ખોલ્યો નહોતો. આખરે દરવાજો તોડીને અંદર જોતા દયાબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. જેથી તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. પોલીસે ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે ખસેડી કેસની વધુ તપાસ કરી છે. આ બાબતની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે દયાબેનના પરિવારજનો સહિત મિત્ર વર્તુળ એકઠું થઈ ગયું હતુ. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 


અગમ્ય કારણોથી આપઘાત 


જેતપુર સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગત બહાર આવી છે. મહીલા કોન્સ્ટેબલના આપઘાતની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રોબેશન IPS કેશવાલા, Dysp સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ લાઈનમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી છે. જેતપુર પોલીસે દયાબેનના આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!