જેતપુર સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ


  • Published By :
  • Published Date : 2023-09-06 19:20:51

રાજ્યના લોકોના જાનમાલની રક્ષા કરનારા તથા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનારા પોલીસકર્મીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેતપુર પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈને આપઘાત કરતા અરેરાટી મચી ગઈ છે. મૃતક મહિલા કોન્સ્ટેબલ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા. મહિલા પોલીસના આપઘાતને કારણે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.  


ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું


જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયાએ આપઘાત કર્યો છે. તેમણે પોલીસ લાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મહિલા કોન્સ્ટેબલ દયાબેન જસદણના શિવરાજપુરની વતની છે. કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયા (25)એ આજે પોતાના પોલીસ ક્વાર્ટરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આજે સવારે દરવાજો ખટખટાવવા છતાં દયાબેને ખોલ્યો નહોતો. આખરે દરવાજો તોડીને અંદર જોતા દયાબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. જેથી તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. પોલીસે ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે ખસેડી કેસની વધુ તપાસ કરી છે. આ બાબતની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે દયાબેનના પરિવારજનો સહિત મિત્ર વર્તુળ એકઠું થઈ ગયું હતુ. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 


અગમ્ય કારણોથી આપઘાત 


જેતપુર સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગત બહાર આવી છે. મહીલા કોન્સ્ટેબલના આપઘાતની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રોબેશન IPS કેશવાલા, Dysp સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ લાઈનમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી છે. જેતપુર પોલીસે દયાબેનના આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .