રાજકુમાર જાટના કેસમાં ગણેશ ગોંડલના ઘરમાં હાજર શખ્સ સામે નોંધાયો ગુનો, પિતા-પુત્ર સામે પણ અરજી.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-24 17:56:52

ગોંડલ ઘણા દિવસોથી ચર્ચામાં છે અને આ ચર્ચામાં રોજ નવા વળાંકો સામે આવે છે. ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર રાજસ્થાનના રતનલાલ જાટ પોતાના દિકરાના મૃત્યુને લઈને આરોપ લગાવી રહ્યાં છે.. અને સતત કહી રહ્યાં છે કે એમના કારણે જ આ સ્થિતિ ઉભી થઈ છે. રાજસ્થાનમાં વિરોધ નોંધાયો અને લોકસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો.. હવે આખરે 19 દિવસના અંતે આ કેસમાં જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે. સવાલ એ છે કે શું કાર્યવાહી થશે ખરા.


ગોંડલમાં રહેતો અને UPSCની તૈયારી કરતો મૂળ રાજસ્થાનનો રાજકુમાર જાટ ઘરેથી રહસ્યમય રીતે ગૂમ થયા બાદ તેનો મૃતદેહ રાજકોટ નજીકથી મળી આવ્યો હતો. રાજકોટ પોલીસે તેનું મોત ખાનગી ટ્રાવેલ્સની બસે હડફેટે લેતાં થયાનું જાહેર કરી દીધું છે. પણ આ કેસમાં અનેક ખુટતી કડીઓ જોડવાનો પ્રયાસ પોલીસ પોતાની તપાસમાં નથી કરતી તેવું લાગી રહ્યું છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સામે આવ્યા બાદ અંતે 19 દિવસે ગુનો નોંધવામાં આવ્યો છે.  ભારે વિવાદ પછી આખરે ગોંડલ પોલીસે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે બંગલામાં હાજર શખ્સ સામે ગુનો નોંધ્યો છે. મૃતક રાજકુમાને બંગલામાં હાજર એક વ્યક્તિએ તમાચો માર્યો હતો. ગોંડલ પોલીસના સુત્રોના કહેવા પ્રમાણે રતનલાલ આ અજાણ્યા શખ્સને ઓળખતા ન હોવાથી એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.


તો બીજી બાજુ ગણેશ જાડેજાએ પણ મૃતક રાજકુમાર અને તેના પિતા સામે બંગલોમાં ગેરકાયદે પ્રવેશની પોલીસને અરજી આપી છે. ત્યારે હવે આ કેસ નવો વળાંક લઈ રહ્યો છે. બીજી તરફ ગણેશ જાહેજાએ મૃતક રાજકુમાર તેના પિતા સાથે બંગલોમાં ગેરકાયદે પ્રવેશની પોલીસને અરજી આપી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અરજીમાં જણાવ્યું જણાવ્યું છે કે બંને પિતા-પુત્ર બંગલોમાં કામ છે તેમ કહી બંગલોમાં ઘુસી બંગાલમાં હાજર માણસોએ તેમને ખુરશી આપી હતી. ત્યાર પછી બંને પિતા-પુત્ર મોબાઈલને લઈને મારવાડી ભાષામાં ઝઘડતા હતા. જેથી બંનેને બંગલોમાંથી બહાર જવાનું કહેવાતાં રતનલાલ તો તૈયાર થઈ ગયા પુત્ર મૃતક રાજકુમાર હતા. તેનો પુત્ર બંગલોમાંથી બહાર જવા તૈયાર ન હતો. એટલું જ નહીં ખુરશી પકડીને ઊભો રહી ગયો હતો. મહામહેનતે તેને બહાર મોકલવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે આક્ષેપ થયા હોવાથી રતનલાલ જાટની એનસી અને ગણેશ જાડેજાએ આપેલી અરજીની તપાસ જેતપુરના પીઆઈને સોપવામાં આવી છે. એનસી ગઈ તા. 15ના રોજ નોંધાવાનું અને તે પહેલા ગણેશ જાડેજાએ અરજી આપ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગણેશ જાડેજાએ જાટ પિતા-પુત્રએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ માટે અરજી દાખલ કરવામાં આવી છે. ગોંડલ પોલીસ દ્વારા નવા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવી રહ્યા નથી. રાજકુમાર જાટનો પીએમ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં શરીર ઉપર ઈજાના નિશાન છે, ત્યારે મોત કુદરતી કે ઈજા ના કારણે થયું છે? તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. મૃતક રાજકુમાર જાટના પિતાએ આરોપ મૂક્યો છે કે યુવકના ઘરેથી નીકળવાના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર ન થયા, ગણેશ જાડેજાએ યુવકને પોતાના ઘરે કેમ બોલાવ્યો અને જયરાજસિંહ ના ઘરની બહાર ઝઘડો કેમ થયો જેના કારણે તેને માર મારવામાં આવ્યો આ તમામ બાબતો ઉપર હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઇ નથી.


ઓલરેડી આ કેસમાં ઘણા બધા સવાલો છુટી રહ્યાં છે તેના પર તપાસ થાય એ પણ બહુ જ જરુરી છે.જાટ યુવાનને માર મારવાના કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા હતા. અને રિપોર્ટ પ્રમાણે આ હત્યા હોય શકે તેવી પણ શક્યતાઓ વધારે છે. કેમ કે રિપોર્ટમાં ક્યાંય અકસ્માત થયો હોય તેવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.  મૃતક રાજકુમાર જાટના શરીરના કેટલાક ભાગો પર જે 4-4 સે.મી.ના ચોક્કસ જગ્યાએ ઇજાનાં નિશાન છે, એ અકસ્માતને કારણે ન થાય, કારણ કે અકસ્માતમાં કેટલા સેન્ટિમીટરના ભાગમાં ઇજા થાય એ નક્કી હોતું નથી, જે વાહન અથડાયું હોય અને જે ભાગે અથડાયું હોય એ ભાગ કેટલો બોથડ છે અને કેટલો વજનદાર છે એના પરથી ઇજાનાં નાનાં અથવા તો મોટાં નિશાન થાય, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 4-4 સે.મી.ની જાડાઇના જે નિશાન થયાં છે એ લાકડી જેવા બોથડ પદાર્થથી ઘા મરાયા હોય એવાં પણ હોઇ શકે.. આ સિવાય પ્રાઈવેટ પાર્ટમાં પણ અંદર સુધી ચીરાના નિશાન છે જે અકસ્માતના કારણે ન થાય તેવું તબીબોનું સ્પષ્ટપણે માનવુ છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!