IFFCO Electionમાં થઈ Jayesh Radadiyaની જીત, આટલા મતથી મળી જીત....


  • Published By :
  • Published Date : 2024-05-10 11:59:18

ઈફ્કોના ડાયરેક્ટર માટે થયેલી ચૂંટણીનું પરિણામ આવી ગયું છે.. સામાન્ય રીતે આ ચૂંટણી દર વર્ષે બિનહરીફ થતી હોય છે પરંતુ આ વખતે અહીયાં ત્રિ પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે તેવી માહિતી સામે આવી છે.. જયેશ રાદડિયા સામે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના મનાતા બિપીન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે જયેશ રાદડિયાની સામે ભાજપના ઉમેદવાર હારી ગયા છે.   

જયેશ રાદડિયાને 114 મત મળ્યા!

જયેશ રાદડીયાએ ઈફ્કોની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે.. બિપીન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યો હતો.. ત્યારે ભાજપના મેન્ડન્ટની ઉપરવટ જઈને જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી છે. 60 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયા ચૂંટાયા છે. અમિત શાહની નિકટના ગણાતા બિપિન પટેલે ફોર્મ ભર્યું હતું ઉપરાંત કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી. આ ચૂંટણીમાં 182 મતમાંથી 180 મત પડ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે. જ્યારે બિપીન પટેલને 66 મત મળ્યા છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.