માફિયા જયેશ પટેલનું થશે પ્રત્યાર્પણ, લંડનની કોર્ટે હોમ સેક્રેટરીને કર્યો લેખિત આદેશ


  • Published By :
  • Published Date : 2023-04-02 17:25:22

હત્યા, હત્યાનું કાવતરું, ધાકધમકી, ખંડણી અને જમીન પચાવી પાડવા, આ છે ગુજરાતના ગેંગસ્ટર જયેશ પટેલ ઉર્ફે જયસુખનો પરિચય. પોતાના ગુનાથી જામનગરમાં આતંક ફેલાવ્યા બાદ દુબઈ થઈને લંડન પહોંચેલા આ ગેંગસ્ટર જયેશ પટેલને લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લંડનની જેલમાં બંધ જયેશ પટેલના પ્રત્યાર્પણને બ્રિટનની કોર્ટે મંજૂરી આપી છે. આગામી કેટલાક સપ્તાહમાં જયેશ પટેલ ગુજરાત પોલીસની પકડમાં આવી જશે. જયેશ પટેલના પ્રત્યાર્પણ સાથે ગુજરાતમાં નોંધાયેલા કેસોની સુનાવણી થશે. એવી પણ શક્યતા છે કે જયેશ પટેલના પ્રત્યાર્પણ સાથે તેના મદદગારોનો પણ પર્દાફાશ થશે, જેમાં નેતાઓ અને અધિકારીઓ હોવાની શક્યતા છે.


42 વર્ષની ઉંમરે 42 કેસ 


42 વર્ષીય જયેશ પટેલ વિરુદ્ધ જામનગરમાં 42 કેસ નોંધાયેલા છે. આમાં ઘણા કેસ જમીન કૌભાંડ સાથે જોડાયેલા છે. ગુજરાતમાં, જયેશ પટેલ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GUJCOCA) હેઠળ પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી. યુકેની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપ્યા બાદ જામનગર અને ગુજરાત પોલીસ આ મુદ્દે લંડન કોર્ટના સતત સંપર્કમાં છે. જયેશ પટેલ 2018માં જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશીની હત્યા કરીને નકલી પાસપોર્ટ પર દુબઈ થઈને લંડન ભાગી ગયો હતો. 16 માર્ચ 2021ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે લંડનની જેલમાં બંધ છે. 


પ્રત્યાર્પણનો કર્યો વિરોધ


તે સતત તેને ભારત ન મોકલવા વિનંતી કરતો હતો. તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે જો તેનું પ્રત્યાર્પણ મંજૂર છે. તેથી તે ખૂબ જ શક્ય છે કે તે ત્યાંની પોલીસ દ્વારા ત્રાસ આપ્યા બાદ આત્મહત્યા કરી લે, કારણ કે તે એક ખાસ પ્રકારની બીમારીથી પીડિત છે, પરંતુ કોર્ટે તેનું બહાનું ફગાવી દીધું હતું અને પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે કોર્ટ એવું નથી માનતી કે ભારતમાં પોલીસ તેને હેરાન કરશે. પટેલના પ્રત્યાર્પણ પર 13 દિવસ સુધી સુનાવણી ચાલી. આ પછી પ્રત્યાર્પણનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


હોમ સેક્રેટરીને કર્યો આદેશ


માફિયા ડોન જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટે બ્રિટનના હોમ સેક્રેટરીને લેખિતમાં આદેશ આપ્યો છે. કોર્ટે 296 પાનાના આદેશમાં જયેશ પટેલના પ્રત્યાર્પણનો આદેશ કર્યો છે. લંડનમાં એશોઆરામની જિંદગી જીવતા જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે દ્વારકાના એસપી નિતેશ પાંડે સતત પ્રયાસો કર્યા હતા.


દિપન ભદ્રેને સામ્રાજ્ય તોડ્યું


જામનગરમાં જયેશ પટેલની રંજાડ વધી જતા રાજ્ય સરકારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા આપીએસ દિપેન ભદ્રેનને જામનગર પોસ્ટિંગ કરી હતી. જામનગર એસપી બન્યા બાદ છ મહિનાની અંદર જ દિપન ભદ્રેને જયેશ પટેલ માટે કામ કરતા 16 લોકોને જેલના સળીયા પાછળ ધકેલીને તેની કમર તોડી નાખી હતી. હાલ ગુજરાત ATSમાં DIG તરીકે ફરજ બજાવતા દિપન ભદ્રેને જ જયેશ પટેલના પ્રત્યાર્પણ માટેની શરૂઆત કરી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!