ભાજપને અલવિદા કહેનાર જયનારાયણ વ્યાસે થામ્યો કોંગ્રેસનો હાથ


  • Published By :
  • Published Date : 2022-11-28 12:43:25

ગુજરાત ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા અનેક રાજકીય નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે ભાજપના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો હાથ થામી લીધો છે. ગઈ કાલે જ જયનારાયણ વ્યાસ સિદ્ધપુર ખાતે ચંદનજી ઠાકોરના સમર્થનમાં જોવા મળ્યા હતા અને તેમણે કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી. કોંગ્રેસની સભામાં જયનારાયણ વ્યાસની ઉપસ્થિતિ દેખાતા રાજકારણમાં નવા-જૂનીના એંધાણ દેખાઈ રહ્યા હતા. ત્યારે આજે તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

 

   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.