જયનારાયણ વ્યાસે ભાજપ સામે મોરચો માંડ્યો, સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવાર માટે કર્યો પ્રયાર


  • Published By :
  • Published Date : 2022-11-27 17:42:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસોના બાકી રહ્યા છે ત્યારે રાજકારણના અવનવા રંગરૂપ જોવા મળી રહ્યા છે. રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે એ જાહેરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરતા રાજકારણ ગરમાયું છે.


જયનારાયણ વ્યાસે આપ્યો ચંદનજી ઠાકોરને ટેકો 


જયનારાયણ વ્યાસે પાટણની સિદ્ધરપુર વિધાનસભા બેઠકના વામૈયા ગામે કોગ્રેસની જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ડો.જયનારાયણ વ્યાસે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી છે. આ સભામાં તેમણે સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મોટી લીડથી જીતાડવા લોકોને હાકલ કરી છે.


ભાજપથી નારાજ હતા


જયનારાયણ વ્યાસ છેલ્લા ઘણા દિવસથી ભાજપના ટોચના નેતાઓથી નારાજ હતા. જયનારાયણ વ્યાસે 20 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપ્યું હતું.  જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે નિવેદન આપ્યું હતું કે, ‘નેતાઓના કોઈ પણ સંબંધીઓને ટિકિટ નહીં મળે, જયનારાયણ વ્યાસ બાબતે પણ પાટિલે જણાવ્યું હતું કે 75 વર્ષ થયા હોવાથી પાર્ટી ટિકિટ નહીં આપી શકે. જયનારાયણ વ્યાસે અમને રાજીનામું મોકલ્યું છે અમે તેમના રાજીનામાનો સ્વીકાર કાર્યો છે.’ પાટીલના આ નિવેદનની જયનારાયણ વ્યાસ ટીકા કરી કરી હતી.


સિદ્ધપુરમાં ત્રિપાંખિયો જંગ


સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂત વચ્ચે જંગ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.