જય શાહના નિવેદન પર PCB ભડક્યું, ODI વર્લ્ડ કપ બહિષ્કારની આપી ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:20:53

ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં એશિયા કપ 2023 ટુર્નામેન્ટ નહીં રમે તેવા BCCI સેક્રેટરી જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ધુઆપુઆ થઈ ગયું છે. PCBએ કહ્યું છે કે આ પ્રકારનું નિવેદન નિયમોની વિરુદ્ધ છે, આ અંગે તરત જ એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બોલાવવી જોઈએ.


PCBએ નિવેદન આપી શું કહ્યું?


PCBએ જણાવ્યું કે તેને જય શાહના નિવેદનથી આશ્ચર્ય અને નિરાશ થયું છે. જય શાહે એશિયા કપને ન્યુટ્રલ વેન્યુ પર શિફ્ટ કરવાનું જે નિવેદન આપ્યું છે તે નિંદનીય છે. આ નિવેદન કોઈ બોર્ડ મેમ્બર સાથે વાતચીત કે કોઈપણ જાતની ચર્ચા વગર આપવામાં આવ્યું છે. જેનું મોટું પરિણામ આવી શકે છે.


PCBએ ધમકીના સ્વરમાં કહ્યું કે આ પ્રકારના નિવેદન એશિયન ક્રિકેટ દેશો અને ઇન્ટરનેશનલ ક્રિકેટ સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે અને દેશોને વહેંચે છે. આ સિવાય પાકિસ્તાનના ભારતમાં થવાવાળા 2023 વનડે વર્લ્ડકપ કે 2031 સુધી થવાવાળી બીજ મેચ પર પણ અસર કરી શકે છે. પીસીબીએ આ મામલે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બોલાવવાની માંગ કરી છે કારણકે હજુ સુધી જય શાહ કે બીસીસીઆઈ તરફથી કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.


પાકિસ્તાનની ODI વર્લ્ડ કપ નહીં રમવાની ધમકી


એશિયા કપ માટે પાકિસ્તાન ન આવવાના ભારતના નિર્ણય પર પીસીબીનું કહેવું છે કે તે 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી શકે છે. જો કે જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.