જય શાહના નિવેદન પર PCB ભડક્યું, ODI વર્લ્ડ કપ બહિષ્કારની આપી ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:20:53

ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં એશિયા કપ 2023 ટુર્નામેન્ટ નહીં રમે તેવા BCCI સેક્રેટરી જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ધુઆપુઆ થઈ ગયું છે. PCBએ કહ્યું છે કે આ પ્રકારનું નિવેદન નિયમોની વિરુદ્ધ છે, આ અંગે તરત જ એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બોલાવવી જોઈએ.


PCBએ નિવેદન આપી શું કહ્યું?


PCBએ જણાવ્યું કે તેને જય શાહના નિવેદનથી આશ્ચર્ય અને નિરાશ થયું છે. જય શાહે એશિયા કપને ન્યુટ્રલ વેન્યુ પર શિફ્ટ કરવાનું જે નિવેદન આપ્યું છે તે નિંદનીય છે. આ નિવેદન કોઈ બોર્ડ મેમ્બર સાથે વાતચીત કે કોઈપણ જાતની ચર્ચા વગર આપવામાં આવ્યું છે. જેનું મોટું પરિણામ આવી શકે છે.


PCBએ ધમકીના સ્વરમાં કહ્યું કે આ પ્રકારના નિવેદન એશિયન ક્રિકેટ દેશો અને ઇન્ટરનેશનલ ક્રિકેટ સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે અને દેશોને વહેંચે છે. આ સિવાય પાકિસ્તાનના ભારતમાં થવાવાળા 2023 વનડે વર્લ્ડકપ કે 2031 સુધી થવાવાળી બીજ મેચ પર પણ અસર કરી શકે છે. પીસીબીએ આ મામલે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બોલાવવાની માંગ કરી છે કારણકે હજુ સુધી જય શાહ કે બીસીસીઆઈ તરફથી કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.


પાકિસ્તાનની ODI વર્લ્ડ કપ નહીં રમવાની ધમકી


એશિયા કપ માટે પાકિસ્તાન ન આવવાના ભારતના નિર્ણય પર પીસીબીનું કહેવું છે કે તે 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી શકે છે. જો કે જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.