જાવેદ અખ્તરે લાહોરમાં જ પાકિસ્તાનની ઝાટકણી કાઢી, મુંબઈ હુમલા માટે જવાબદાર ઠરાવ્યું, વીડિયો વાયરલ


  • Published By : Admin
  • Published Date : 2023-02-21 17:16:06

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જાવેદ અખ્તર પાકિસ્તાનના લાહોર શહેરમાં આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે 26/11ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવી મુંબઈ હુમલા માટે જવાબદાર ઠરાવ્યું હતું. જાવેદ અખ્તરે કહ્યું-હજુ પણ  તમારા દેશમાં આતંકવાદીઓ ઘૂમી રહ્યા છે.


જાવેદ અખ્તરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી


ફૈઝ ફેસ્ટિવલ 2023માં જાવેદ અખ્તરે કહ્યું- અમે નુસરત અને મેહદી હસન માટે મોટા ફંક્શનનું આયોજન કર્યું છે. પરંતુ તમારા દેશમાં લતા મંગેશકરની યાદમાં કોઈ કાર્યક્રમ યોજાયો નથી. તો વાસ્તવિકતા એ છે કે, હવે આપણે એકબીજા પર દોષારોપણ ન કરીએ, મહત્વની બાબત એ છે કે આ દિવસોમાં જે માહોલ ગરમાયો છે તે ઓછો થવો જોઈએ.અમે બોમ્બેના લોકો છીએ, અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો થયો હતો. તે લોકો નોર્વેથી કે ઇજિપ્તથી આવ્યા નહોતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે. તેથી જો આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.


ચાહકોએ ગીતકારની પ્રશંસા કરી


પાકિસ્તાનમાં આપવામાં આવેલા જાવેદ અખ્તરના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રશંસા થઈ રહી છે. લોકોએ ગીતકારના નિવેદનના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું - જો અમને સંપૂર્ણ ઇન્ટરવ્યુ જોવા મળે તો ખુબ જ મજા આવી જાય. બીજાએ લખ્યું - ખૂબ જ સરસ. અન્ય એક વ્યક્તિએ લખ્યું- આને કહેવાય દેશભક્તિ. કોઈ યુઝરે તો વળી ગીતકારને ભારત રત્ન આપવાની માંગ કરી. તે વ્યક્તિએ કહ્યું, એટલા માટે જ મારા દિલમાં જાવેદ સાહેબ માટે હજુ પણ પ્રેમ છે. કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં તાળીઓ પાડતા ઈમોજી બનાવ્યા છે. તો કોઈએ કહ્યું કે તેમના દિલમાં જાવેદ અખ્તર માટે આદર વધુ વધી ગયો છે.


અત્રે ઉલ્લેખનિય છે કે ત્રણ દિવસીય ફૈઝ ફેસ્ટિવલ લાહોરમાં 17-19 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો. ગીતકાર જાવેદ અખ્તરે ફેસ્ટિવલમાં આયોજીત મુશાયરામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમના નવા પુસ્તકનું પણ લોકાર્પણ થયું હતું.


કંગનાએ જાવેદ અખ્તરના વખાણ કર્યા 


કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું - જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળતી હતી ત્યારે મને લાગતું હતું કે કેવી રીતે માતા સરસ્વતીજીની તેમના પર આટલી કૃપા છે. પણ જુઓ, કાંઈક તો સત્ય છે આ માણસની વાતમાં.... જય હિંદ જાવેદ અખ્તર સાહેબ. ઘરમાં ઘુસીને માર્યા... હાહાહા. કંગના રનૌતને જાવેદ અખ્તરના વખાણ કરતી જોઈને ઘણાને આશ્ચર્ય પણ થાય છે. કારણ કે જાવેદ અખ્તર અને કંગના રનૌત વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. કંગનાએ જે રીતે પોતાના વિવાદ અને મતભેદોને ભૂલીને જાવેદ અખ્તરની પ્રશંસા કરી છે, યુઝર્સે તેના વખાણ કર્યા છે.




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.