અંબાજી મંદિરમાં નકલીના ઘી સપ્લાયર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-12-07 19:35:12

ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આપવામાં આવેલા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવાનો મામલો સામે આવ્યો હતો. મોહનથાળના પ્રસાદ માટે અંબાજી પહોંચાડવામાં આવતું ઘી હલકી ગુણવત્તાનું હતું. જે બાબતે અનેક તપાસ થઈ, આ ઘીનો સપ્લાય માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સ માંથી થયું હોવાનો ખુલાસો થયો હતો. નીલકંઠ ટ્રેડર્સના વેપારી જતિન શાહએ આજે સવારે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘરે પહોંચીને તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધી કોઈ પણ સુસાઇડ નોટ ત્યાંથી મળી આવી નથી, પરંતુ તેઓ દબાણમાં હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. મૃતહેદને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જતીન શાહની આત્મહત્યા કેસમાં નારોલ પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ જતિન શાહનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.  


ધરપકડ બાદ જામીન પર છુટ્યા હતા


અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે નકલી ઘીનું કૌભાંડ ચાર મહિના અગાઉ સામે આવ્યું હતુ. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને મળ્યો હતો. મોહિની કેટરર્સને મોહનથાળનો પ્રસાદ બનાવવા માટેનું ઘી અમદાવાદના દિલ્હી દરવાજા સ્થિત માધુપુરા બજારમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સ દ્વારા મોકલવામાં આવ્યુ હતુ. આ નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહ હતા. અંબાજી મંદિર પ્રસાદમાં નકલી ઘીનો ભાંડો ફૂટતા   પોલીસ કેસ દાખલ થયો હતો અને પોલીસે જતીન શાહની ધરપકડ પણ કરી હતી. જો કે અદાલતે જતીન શાહને 10 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, 3જી ઓક્ટોબરે ગોડાઉન સીલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. માધુપુરાના વેપારી જતિન શાહે પાલડીના દુષ્યંત સોની પાસેથી ઘી ખરીદ્યુ હોવાની વાત જાણવા મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે, નકલી ઘી મામલે સંડોવાયેલા તમામ શખ્સોની પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.