જાપાનના વડાપ્રધાન ભારતના પ્રવાસે, પાર્કમાં પાણીપૂરી ખાધી અને લસ્સી બનાવી, પ્રથમ દિવસે વિવિધ મુદ્દાઓ અંગે બંને દેશના પીએમ વચ્ચે થઈ ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-03-21 09:17:50

જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. ગઈ કાલે ભારત આવેલા જાપાનના પીએમએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તે ઉપરાંત અનેક મુદ્દાઓ પર હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી હતી. ફૂમિયો કિશિદાનો વડાપ્રધાન તરીકેનો આ બીજો પ્રવાસ છે. પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાનને ભેટ તરીકે ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટમાં આપવામાં આવી હતી. 


Image

md jp 3

ભારતીય વાનગીઓનો લીધો સ્વાદ! 

ભારતના પ્રવાસ આવેલા વડાપ્રધાનના અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન કિશિદાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં દિલ્હી પહોંચેલા કિશિદા પાર્કમાં પાણીપુરી ખાઈ રહ્યા છે. તે ઉપરાંત લસ્સી બનાવતા પણ તેઓ દેખાયા હતા અને આમ પન્નાનો સ્વાદ પણ માણ્યો હતો. વડાપ્રધાન મોદી અને ફુમિયોએ બુદ્ધ જયંતિ પાર્કમાં ચક્કર માર્યો હતો તે દરમિયાન બંને નેતાઓ વાતચીત કરતા દેખાયા હતા. મોદી અને કિશિદા પાર્કમાં ફર્યા અને પછી લાકડાની બેંચ પર બેઠા.

       

વિવિધ મુદ્દા પર થઈ મહત્વપૂર્ણ ચર્ચા!

હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓની બેઠક થઈ હતી. વિવિધ મુદ્દાઓને લઈ નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. બંને દેશોએ ઈન્ડો પેસિફિક ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. જાપાનના પીએમએ કહ્યું કે મેં આજે પીએમ મોદીને હિરોશિમામાં યોજાનારી જી-7 સમિટ માટે આમંત્રણ આપ્યું છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે હું પીએમ કિશિદાનું ભારતમાં સ્વાગત કરું છું. એક વર્ષની અંદર તેમની સાથે મારી અનેક વખત મુલાકાત થઈ છે. આ દરમિયાન મને બંને દેશો વચ્ચેના સંબંધને લઈ પોઝિટિવિટી મહેસૂસ થઈ રહી છે. અમારો લક્ષ્ય બધાને સાથે લઈને ચાલવાનો છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.