રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો 5થી 9 સપ્ટેમ્બર યોજાશે, કલેક્‍ટરે સંબંધિત અધિકારીઓને આપ્યા આ મહત્વના આદેશ


  • Published By :
  • Published Date : 2023-06-06 18:10:50

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટની આગવી ઓળખ છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો લોકમેળો માણવા આવતા હોય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે.આ લોકમેળાને લઈ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ સહિતની કુલ 19 સમિતિઓની રૂપરેખા આપી હતી. દર વર્ષે પાંચ દિવસ દરમિયાન યોજાનારા આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખ લોકો મેળાનો આનંદ માણવા આવશે તેવું એક અનુમાન છે.


રેસકોર્સ મેદાન ખાતે  યોજાશે લોકમેળો 


રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટમાં જન્‍માષ્ટમીના ભવ્‍ય સાંસ્‍કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવનાર છે તા. 5 થી 9 સપ્‍ટેમ્‍બર સુધી 5 દિવસ સુધી રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે, જેને લઈને જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને લોકમેળા સમિતિઓના જુદા જુદા અધ્‍યક્ષ અને સહઅધ્‍યક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.જી ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરરાજી સમિતિ, કાયદો વ્‍યવસ્‍થા, ટ્રાફિક તેમજ પાર્કિગ નિયમન સમિતિ સહિતની કુલ 19 સમિતિઓની રૂપરેખા આપી હતી.નાગરિકોના લાભાર્થે સી.સી.ટી.વી. કેમેરા, ફાયર સેફટી, આરોગ્‍ય સુવિધા, કંટ્રોલ રૂમ અને ઇમર્જન્‍સી હેલ્‍પલાઇન, સાઈન બોર્ડ વગેરે કામગીરી સારી રીતે થાય તે માટે કલેક્‍ટરે સંબંધિત અધિકારીઓને આદેશો આપ્યા હતા. આ સાથે ચોમાસાના સમયમાં ખાણીપીણીની ગુણવત્તા અંગે ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી. 


લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત


રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં સૌથી મોટો છે. લોકમેળામાં લાખોની જનમેદની એકત્ર થવાની છે. જેથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સિક્યુરીટી પણ તૈનાત રહેશે. જેનું મોનિટરીંગ પોલીસ કન્ટ્રોલ રૂમ અને વહીવટી તંત્ર દ્વારા કરાશે. લોકમેળામાં ખાદ્યસામગ્રી અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ન આવે અને લૂંટ મેળો ન બને તે માટે પણ વિશેષ દરકાર રાખવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.