Janmashtamiનો દિવસ આટલા લોકો માટે બન્યો જીવનનો અંતિમ દિવસ, એક જ દિવસમાં Rajkotમાં Heart Attackને કારણે થયા આટલા મોત


  • Published By :
  • Published Date : 2023-09-08 12:01:11

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે હૃદય હુમલો માત્ર એ લોકોને આવે જેની ઉંમર થઈ ગઈ હોય. વૃદ્ધ લોકો હાર્ટ એટેકનો ભોગ બને છે. પરંતુ સમયની સાથે સાથે ખાન પાન બદલાયું,, લાઈફ સ્ટાઈલ બદલાઈ, ખોરાક બદલાયો. આ બધાની અસર આપણા હેલ્થ પર સૌથી પહેલા પડે છે. કદાચ આ કારણ પણ હોઈ શકે છે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓનું કારણ. આજે હાર્ટ એટેકની વાત એટલા માટે કરવી છે કારણ કે ગઈકાલે રાજકોટમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 


રાજકોટમાં ત્રણ લોકોના ગયા હાર્ટ એટેકને કારણે જીવ 

હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ તો અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય અથવા તો થઈ રહ્યા હોય તેવા સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે. તંદુરસ્ત દેખાતો વ્યક્તિ ગમે ત્યારે બેહોશ જાય છે અને જ્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યાં તો તેમને મૃત જાહેર કરી દેવામાં આવે છે. લોકો સારવાર કરાવી શકે તેટલો સમય પણ નથી હોતો. ગઈકાલે જ હાર્ટ એટેકને કારણે માત્ર રાજકોટમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.એક મહિલાએ અને બે પુરૂષોએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. 


ચગડોળમાં બેઠેલી મહિલાને આવ્યો હાર્ટ એટેક 

જન્માષ્ટમીને લઈ અનેક જગ્યાઓ પર મેળાનું આયોજન થતું હોય છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. જે યુવતીનું મોત થયું છે તેમનું નામ અંજનાબેન ગોંડલીયાનું છે અને મળતી માહિતી અનુસાર તેમની ઉંમર 20 વર્ષની હતી. ચકડોળમાં યુવતી બેઠી હતી અને અચાનક ચક્કર આવ્યા. સારવાર અર્થે યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેનું મોત થઈ ગયું હતું. 


હાર્ટ એટેકે લીધો બીજા બે લોકોનો ભોગ  

હાર્ટ એટેકને કારણે 25 વર્ષીય જતીન સરવૈયા નામના વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. જન્માષ્ટમીના  કાર્યક્રમ નિમીત્તે ડેકોરેશન ચાલી રહ્યું હતું અને તે દરમિયાન યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ત્રીજો જે હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે તેમાં યુવાન પોતાના ઘરમાં બેઠો હતો. ઘરમાં જ અચાનક વિજય મેઘનાર્થી નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેમનો જીવ જતો રહ્યો. 



શાળામાં ભણતા વિદ્યાર્થીઓના પણ થાય છે હાર્ટ એટેકને કારણે મોત

મહત્વનું છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ઘણો વધારો જોવા મળ્યો છે. એવું પણ લોકો માની રહ્યા છે કે વેક્સિનની સાઈડઈફેક્ટને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા સરકાર પણ ચિંતિત થઈ છે. હાર્ટ એટેકના કિસ્સાઓ એ હદે વધી રહ્યા છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેનો ભોગ બની રહ્યા છે. છેલ્લા થોડા સમયથી એવા કિસ્સાઓ સાંભળવામાં આવી રહ્યા છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!