જનતા વતી જમાવટે કર્યો Sabarkanthaના બંને ઉમેદવારોને સવાલ, જાણો Shobhnaben baria અને Tushar Chaudharyનું શું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-04-30 15:07:47

લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે... બે તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.. આપણા રાજ્યમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના ગમતા ઉમેદવારને સંસદ પહોંચાડશે.. મતદાન કરતા પહેલા મતદાતાને ખબર હોય છે કે કયો ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધશે.. આગામી પાંચ વર્ષમાં સાંસદ તરીકે ઉમેદવાર કેવા કામ કરશે તે જાણવાનો અધિકાર મતદાતાને હોય છે. 

સાબરકાંઠા બેઠક પર ભાજપે બદલ્યા છે ઉમેદવાર

મતદાતાને ખબર પડે કે તેમના ઉમેદવાર શું કામ કરશે તે માટે જનતા વતી જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકના બંને પાર્ટીના ઉમેદવારોને ફોન કરી રહી છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહી છે.. જમાવટની ટીમ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારોને ફોન કરવામાં આવ્યો. આ બેઠક પર ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ તે બાદ તેમની જગ્યા પર શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવાયા.. તો ઈન્ડિયા ગઠબંધન તરફથી તુષારભાઈ ચૌધરી...


શું કહ્યું ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ?

વિઝન જાણવા માટે પહેલા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તે પાંચ વર્ષમાં જનહિતના કાર્યો કરશે.. જનતાની સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરશે તેવું તે કહી રહ્યા હતા.. મુદ્દાઓની વાત કરી તો તેમણે કહ્યું કે સાબરકાંઠાની જનતાને પાણી મળી રહ્યું છે, સારા રોડ રસ્તા છે, તળાવ ભરાવવાની કામગીરી થઈ રહી છે... 



વિઝનને લઈ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે? 

તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તુષાર ચૌધરીએ તેમના વિઝન જણાવતા કહ્યું કે દેશની દરેક શક્તિપીઠને રેલવેથી જોડવાનો પ્રયત્ન થયો હતો, તેના ભાગ રૂપે અંબાજી મંદિરને પણ રેલવે ટ્રેકથી જોડવાની વાત હતી પણ હજી સુધી સાબરકાંઠામાં રેલવે લાઈનનું કામ પૂર્ણ થયું નથી. ત્યારે જોવું રહ્યું કે જનતા કોને મત આપી સાંસદ બનાવે છે.... 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.