Jamnagar : માર્કેટીંગ યાર્ડમાં પડેલો માલ પલળ્યો| વેપારીના માથે નુકસાન આવ્યું અને ખેડૂતના કપાળે ચિંતાની લકીર! સાંભળો ખેડૂતોની આપવીતિ


  • Published By :
  • Published Date : 2023-10-17 10:51:45

ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે. જગતનો તાત ખેતી કરે છે ત્યારે આપણી થાળીમાં જમાવાનું આવે છે. કુદરત જ્યારે આપણાથી રૂઠી હોય ત્યારે આપણને કદાચ વધારે અસર નહીં થાય, પરંતુ કુદરત અને ખેડૂતોનો નાતો અત્યંત નિકટનો છે. કુદરતી માર વેઠવાનો વારો ખેડૂતોને આવે છે. વધારે વરસાદ આવે તો પણ અને વરસાદ ન આવે તો પણ ખેડૂતોના નસીબમાં માત્ર આસું જ હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે જામનગરથી એવા દ્રશ્યો આવ્યા છે જે ખેડૂતોની પીડા વર્ણવા માટે કાફી છે. માર્કેટિંગ યાર્ડમાં રાખેલો માલ વરસાદ આવવાને કારણે પલળી ગયો. વેપારીના માથે નુકસાન આવ્યું અને ખેડૂતોના કપાળે ચિંતાની લકીર આવી...


ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી 

અડધુ ગુજરાત ચિંતા કરતું હતું કે વરસાદ ન આવવો જોઈએ કારણ કે ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની હતી. અડધુ ગુજરાત એ પણ ચિંતા કરતું હતું કે નવરાત્રી દરમિયાન વરસાદ ન આવવો જોઈએ નહીંતો ગરબાની મજા બગડી જશે. અમુક એવા લોકો પણ એવા હતા જે પ્રાર્થના કરતા હતા કે વરસાદ ન પડવો જોઈએ. એ લોકો હતા ખેડૂતો... જામનગરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો વિચલીત કરી દે તેવા છે. ખેડૂતોની મહેનત રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કપાસનો પાક પલળી ગયો.  ખેડૂતો બરબાદ થઈ ગયા હતા. 


કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે 

એ ખેડૂતોની હાલત કદાચ આપણે વિચારી પણ નહીં શકીએ. ખેડૂતોને જરૂર હોય ત્યારે વરસાદ આવતો નથી અને જ્યારે આવે છે ત્યારે નુકસાની કરીને જાય છે. તૈયાર થયેલો માલ એવી રીતે આવે છે કે તેનો પાક પલળી જાય છે. બધી જ મહેનત પછી માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયેલો માલ જ્યારે પલળી જાય ત્યારે ખેડૂતોની હાલત કફોળી બની જતી હોય છે. ખેડૂતોને રડવાનો વારો આવે છે. ખેડૂતનું રડવું અને વરસાદનું પડવું એ બહુ સ્વભાવિક પ્રક્રિયા છે.! એક કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે તો બીજી તરફ માનવ સર્જિત આફતોને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. જે માલ પલળ્યો એ ખેડૂતનો હતો કે ખરીદી કર્યા બાદ વેપારીનો હતો તે જાણી શકાયું નથી.


ખેડૂતોની પીડા ખેડૂતો જ સમજી શકે છે... 

નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે તેવી આગાહી હોવા છતાંય જ્યારે માલને ખુલ્લો મૂકવામાં આવે છે અને પલળી જાય છે ત્યારે પ્રશ્ન તો થાય છે. ચોમાસા દરમિયાન ખેડૂતોના તૈયાર થયેલા પાક પલળી જાય એ જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. કોઈને કંઈ ફરક ન પડતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવું સામાન્ય થઈ ગયું છે. ખેડૂતની પરિસ્થિતિ માત્ર ખેડૂત સમજી શકે છે.       



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!