Jamnagar : Rahul Gandhiનાં નિવેદન પર જામ સાહેબે આપી પ્રતિક્રિયા, ઉદાહરણ આપી કહ્યું કે


  • Published By :
  • Published Date : 2024-05-01 18:02:50

ગુજરાતમાં થોડા સમયથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે... પહેલા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે તો તે બાદ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે.... પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં જામનગરના જામસાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી ત્યારે આજે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર જામસાહેબે પ્રતિક્રિયા આપી છે...    

જામસાહેબે આપી રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે રાજનીતિ ગરમાતી હોય છે.. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ક્ષત્રિયોમાં આક્રોશ ડબલ થઈ ગયો અત્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે અને હવે ના માત્ર પરષોતમ રૂપાલા પણ હવે રાહુલ ગાંધી સામે પણ ક્ષત્રિયોએ લાલ આંખ કરી છે. ત્યારે આજે રાહુલ ગાંધીના નિવેદન પર જામ સાહેબે ખેડૂતના ઉદાહરણ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. 


પત્રમાં શેનો કરાયો છે ઉલ્લેખ?

જામસાહેબે એક ખેડૂતને તેની જમીનના બદલે ડબલ જમીન કૂવો પાણી અને બાજરો વાવેલી જમીન આપવામાં આવી હતી એ વાત સાથે એક પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે જ્યારે મહારાજા જામસાહેબ શ્રી રણજીતસિંહજી ઓફ નવાનગર તેમનું નવું ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા હતા. તે સમય દરમિયાન એક દિવસ તેઓ ઘોડેસવારીએ એક નાની વાડી જે એમના નવા ગેસ્ટ હાઉસથી નજીકમાં હતી તેની મુલાકાતે ગયા. જામસાહેબે આ વાડીના માલિક ખેડૂતને પ્રશ્ન કર્યો કે એમને ગેસ્ટ હાઉસના ઉપયોગ માટે અહીં બગીચો બનાવવો હોય તો આ વાડી મને એટલે કે જામસાહેબને આપવા તૈયાર છો ? 


ખેડૂતે જામસાહેબને એમ સમજાવવાની અરજ કરી કે આ વાડી ઉપર મારું અને મારા પરિવારના ગુજરાનનો આધાર છે. અમે આ વાડી છોડી દઇએ તો અમે અમારું ગુજરાન કેમ કરીએ ! જવાબમાં જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે આ વાડી મને સોંપો તો એના બદલામાં હું તમને એટલી ને એટલી ખેતીની જમીન આપું. પરંતુ ખેડૂતે નમ્રતાથી કહ્યું કે પોતે જે વાડી સોંપશે તે બહુજ ઉત્તમ ખેતીવાળી છે, જેની સામે આપ અમને જમીન આપશો એ તો પડતર જમીન હશે. એના અનુસંધાને જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે એક વર્ષનો સમય લઇને નવાનગર સ્ટેટની માલિકીની ગમે તે તમને લાયક જમીન દેખાય અને તમને જે પસંદ હોય તે જમીન હું તમને આપીશ.


અમુક સમય બાદ જ્યારે ખેડૂતે જામસાહેબને જણાવ્યું કે તેણે એક જમીન પસંદ કરી છે. ત્યાર પછી એક રાજનો અમલદાર ગાડી લઇને ખેડૂતને તે જમીન દેખાડવા લઇ ગયો. ઘણા દિવસો વીતી જતાં, ખેડૂતના પરિવારના સભ્યો કહેવા લાગ્યા કે મહારાજા આપણી સાથે તો બહુજ સારી રીતે વાતો કરી ગયા પરંતુ પછી બધુ ભૂલી ગયા લાગે છે. સારી વાત એ હતી કે અચાનક એક દિવસ તે જ રાજના અમલદાર પાછા એ ખેડૂતની વાડીએ આવ્યા અને ખેડૂતને વિનંતી કરી અને જમીન જોવા લઇ ગયા. 



ભૂતકાળમાં એવા રાજાઓ પણ હતા જેમણે.... 

જમીન જોતા ખેડૂતે અમલદારને કહ્યું કે સાહેબ મેં તો એક નાનકડી અને બિલકુલ ઉજ્જડ જમીન પસંદ કરી હતી, જ્યારે આ જમીન તો બમણી મોટી છે, તેમાં સરસ મોટો પાણીથી ભરેલો કૂવો છે, સરસ મકાન ઉભું છે અને જમીનમાં બાજરાનો પાકેલો મોલ ઉભો છે. આ મારી બતાવેલી જમીન કેમ હોય ? ને પછી એ ખેડૂતને અમલદાર સમજાવે છે કે જામ સાહેબે આ ઘર ને બધુ તમારા માટે બનાવ્યું છે પોતાના ખર્ચે અને તમને એમને તમારી જમીન કરતાં બમણી જમીન આપવાનું નક્કી કર્યું હતું અને અંતે પત્રમાં લખ્યું રાજાશાહીના વખતમાં રાજા-મહારાજાઓ આવી રીતે કામ અને જામસાહેબે જે ઉદાહરણ આપ્યું છે એ તમામ લોકોએ યાદ રાખવું જોઈએ કે ભૂતકાળમાં એવા રાજાઓ પણ રહ્યા છે જેમણે માત્ર પ્રજાના કલ્યાણ માટેનું વિચાર્યું છે... 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.

અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.