જામનગર કલેકટર અને કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમાર વચ્ચે શાબ્દિક ટપાટપી, વીડિયો વાયરલ, શું છે સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-31 14:22:22

દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને ભારત સરકારની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયએ ભારતના બંધારણ અંગે કરેલી એક ટિપ્પણીએ સમગ્ર દેશમાં ભારે વિવાદ જગાવ્યો છે. આ મામલે આજે આવેદન આપવા ગયેલા કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમાર અને જામનગરના જિલ્લા કલેકટર અને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી. જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમારે ઉગ્ર થઈને રજુઆત કરતા મામલો ગરમાયો હતો. કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર તેમના સમર્થકો સાથે બીબેક ડેબોરોય સામે દેશદ્રોહ તથા સંવિધાન વિરોધી ટીપ્પણી કરવા અંગે કાયદેસર કાર્યવાહી કરવા અને સંવિધાનનું રક્ષણ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગરમા જિલ્લા કલેકટર ને પાઠવાયું હતું. આ સમયે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીને કલેકટર સાથે જીભાજોડી થઈ હતી. એક તબક્કે તો ડો. દિનેશ પરમારે જો સ્થિતિ બગડે તો કહેતા નહીં તેવી ગર્ભિત ચીમકી પણ આપી હતી. 


શું કહ્યું ડો.દિનેશ પરમારે?


જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર અને તેમના સમર્થકોને કલેકટર બિજલ શાહે ડિસીપ્લીન અને ડેકોરમ જાળવવા સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરતા મામલો બિચક્યો હતો. કલેક્ટરની ગેરવર્તણૂક જોઈ ગુસ્સે થયેલા ડો. દિનેશભાઈ પરમારે ખૂબ જ આક્રમક અને ઉગ્ર રજુઆતો કરી હતી અને કલેકટરને જણાવી દીધું હતું કે આપ આવેદનપત્ર સ્વીકારવામાં કોઈ મહેરબાની કરતા નથી. એ તમારી ફરજ છે, આ ચેમ્બર પણ પ્રજાની છે. કલેકટરની પર્સનલ નથી. જો આવેદન નહીં સ્વીકારોતો સ્થિતિ બગડશે તેની જવાબદારી મારી રહેશે નહીં. અંતે મામલો થાળે પડતા કલેકટરે આવેદનપત્ર સ્વીકારી લીધું હતું.


સમગ્ર મામલો શું છે?


ભારત સરકારના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયએ દેશના એક જાણીતા અખબારમાં બંધારણની વિરૃદ્ધમાં એક લેખ લખ્યો હતો કે, જેમાં તેમણે દેશમાં નવા સંવિધાનની જરૂરીયા હોવા ભાર મુક્યો હતો અને 2047 સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ ઉપરાંત વધુમાં તેઓએ એમ પણ કહ્યું છે કે ભારતનું બંધારણએ કોલોનીયલ લેગેસી છે. જે અંગ્રેજો દ્વારા 1935માં બનાવાયું હતું તેનું જ એક રૂપ છે. પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર અને તેમના સમર્થકોને જામનગર જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં  સંવિધાન વિરૃદ્ધ પ્રવૃત્તિ કરનાર સંગઠનો, રાજકીય પાર્ટીઓ, નેતાઓ, વ્યક્તિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ તેવી માગ કરી હતી. આ આવેદનપત્રમાં એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે, હાલ નું ભારતનું સંવિધાન વિશ્વમાં શ્રેષ્ઠ છે, જેના રચયિતા ડો. બાબા સાહેબ આંબેડકર છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!