જામનગર અધિક કલેકટરે બહાર પાડ્યું કલમ 144નું જાહેરનામું, જાણો હવેથી લોકો આ સ્થળો પર નહીં કરી શકે ધરણા


  • Published By :
  • Published Date : 2023-07-15 17:35:46

પોતાની માગ સરકારના કાન સુધી પહોંચે તે માટે અનેક લોકો સરકારી કચેરી બહાર ધરણા કરવા બેસતા હોય છે. વિવિધ પ્રશ્નોને લઈ તેમજ પોતાની માગ, પોતાને થતી સમસ્યાને લઈ ધરણા અથવા તો વિરોધ પ્રદર્શન કરતા હોય છે. ત્યારે જામનગર અધિક કલેક્ટર દ્વારા કલમ 144નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી, વિભાગીય અધિકારીની કચેરી, સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરી તથા પોલીસ સ્ટેશનો અને અન્ય પોલીસ વિભાગની શાખા તેમજ કચેરીઓ આવેલી છે. જે કચેરી, શાખા, પોલિસ સ્ટેશન ખાતે આંદોલન, વિરોધ, ઉપવાસ નહીં કરી શકે. જો ધરણા કરવા કચેરી લોકો પહોંચશે તો કલમ 144 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.   


100 મીટરની અંદર લોકો નહીં કરી શકે આંદોલન 

લોકો પોતાની માગ ન સંતોષાય તો સરકારી કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ કરતા હોય છે, ધરણા,ઉપવાસ કરતા હોય છે. લોકો સૂત્રોચ્ચાર કરતા હોય છે અથવા તો સરઘષ કાઢતા હોય છે. ત્યારે જામનગર અધિક કલેકટરે કલમ 144 નું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સરકારી કચેરી બહાર લોકો ધરણા, વિરોધ પ્રદર્શન નહીં કરી શકે. મહાનગરપાલિકાની તેમજ અન્ય વિભાગીય કચેરીઓની 100 મીટરની અંદર આવેલા વિસ્તારમાં આંદોલન,ઉપવાસ કે ધરણાં પર બેસવા પર રોક લગાવી દીધી છે. જાહેરનામા મુજબ, જામનગર જિલ્લામાં આવેલી પોલીસ વિભાગની તમામ શાખા/ કચેરીના પરિસરના 100 મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણા પર બેસવા કે આવી કોઈ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


પરિસરમાં આંદોલન થવાને કારણે કામગીરી પર પડે છે અસર 

આ જાહેરનામા અંગે જ્યારે કલેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અવાજને કારણે તેમના કામ પર અસર થતી હોય છે. ધરણા, વિરોધ તેમજ મોટી સંખ્યામાં એકત્રિત થતાં લોકોને કારણે કામ પર અસર પડે છે જેને કારણે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક વખત સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો સરકારી કચેરીને ઘેરતા હોય છે. ત્યારે આ જાહેરનામાને કારણે લોકો સરકારી કચેરીનો ઘેરાવો નહીં કરી શકે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!