જામનગર: લાલપુરના ગોવાણામાં બે વર્ષનું બાળક બોરવેલમાં પડતા તંત્ર દોડતું થયું, રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ


  • Published By :
  • Published Date : 2024-02-06 21:35:49

રાજ્યમાં બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાઓ વધી રહી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં બે વર્ષનું બાળક પડી જતા હાહાકાર મચ્યો છે.  બે વર્ષનું બાળક 15 થી 20 ફૂટ ઊંડા બોરમાં ફસાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેતમજૂરનું બે વર્ષનું બાળક સાંજના સમયે ખેતરમાં રમતા રમતા બોરમાં પડી જતા જ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક જામનગર ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરી હતી. સાંજે 6 કલાક આસપાસ આ બનાવ બન્યો હતો. બાળક બોરવેલમાં પડવાના સમાચાર મળતા તંત્ર પણ દોડતું થયું છે. જામનગરથી ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. 


રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી છે. જામનગરથી ફાયરબ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. ફાયરની ટીમ દ્વારા હાલ બાળકને કૃત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને બોરવેલની નજીકમાં જ જેસીબીની મદદથી ખાડો પણ ખોદવાની શરૂઆત કરવામાં આવી છે. બાળક બોરવેલમાં પડ્યું હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. બાળકના રડવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.


ધારાસભ્ય હેમંત ખવાએ આપી માહિતી


બોરવેલમાં બાળક પડી જવાની ઘટના અંગે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં અઢી વર્ષનું બાળક પડ્યાની જાણ થઈ છે. સ્થાનિક તંત્ર બાળકને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યું છે. મેં મારા પ્રયાસથી એક રોબર્ટ તાત્કાલિક પહોંચે તેવા પ્રયાસ કર્યા છે. અમરેલીથી એક રોબોટ પણ બાળકને બહાર કાઢવા પહોંચી રહ્યો છે. NDRFનો સંપર્ક કરતા તેને 5 કલાક જેટલો સમય લાગશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.