Jamnagar : મોટી ખાવડી પાસે આવેલા રિલાયન્સ મોલમાં લાગી ભીષણ આગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-09 10:08:41

આગ લાગવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આગને કારણે માલહાની તો થાય છે પરંતુ અનેક વખત જાનહાની પણ થાય છે. ત્યારે ગઈકાલે જામનગરમાં મોડી રાત્રે રિલાયન્સ મોલમાં એકાએક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં બની હતી,

આગની ઘટનામાં નથી થઈ કોઈ જાનહાની! 

જામનગરમાં ગુરૂવાર રાત્રે આગ લાગવાની દુર્ઘટના બની હતી. જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં મોડી રાત્રે એવી ભયંકર આગ લાગી કે આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા! આ આગ એવા સમયે લાગી જ્યારે મોલ બંધ હતો. રિલાયન્સના પ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આગના ધુમાડા ઉંચે સુધી ઉડ્યા હતા. 



અનંત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા!

મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી. મોલ બંધ હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી તેવી માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબુ લેવાના કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા. મોલનો 60 ટકા જેટલો ભાગ આગમાં ખાખ થઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે. અનંત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા હતા, 



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .