જો તમે પણ બહારનું ખાવાનું વિચારતા હોવ તો પહેલા આ વાંચી લેજો, Jamnagarના US Pizzaના આઉટલેટના પિઝામાંથી નીકળ્યો વંદો,


  • Published By :
  • Published Date : 2023-09-30 15:30:11

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અવાર-નવાર બહારનું ખાતા હશે. કોઈ વખત પિઝા તો કોઈ વખત બર્ગર, આઈસ્ક્રીમ અથવા તો પાણીપુરી ખાવાનો શોખ આપણામાંથી અનેક લોકોને હશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે આપણે એ વાત નથી માનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી વંદા નિકળી રહ્યા છે. જામનગરના us pizza ના પિઝામાંથી વાંદો નિકડવાની ઘટના સામે આવી છે પંચવટી રોડ પાસે આવેલ યુ.એસ.પિઝાની બ્રાન્ચમાંથી ગ્રાહકે જ્યારે પિઝા ઓર્ડર કયા ત્યારે તેમથી વંદો નિકળ્યો!

 

 જોકે, આવી ફરિયાદ બાદ યુએસ પિઝાના દુકાનદારે માફી માંગી હતી. જોકે, ગ્રાહક પી. પી. ગોસ્વામી આજે ફૂડ વિભાગમાં ફરિયાદ કરવાના છે.

આઈસ્ક્રીમમાંથી નિકળ્યો હતો વંદો 

બહારનું કંઈ ખાવું હોય ત્યારે આપણે કોઈ Standard જગ્યા પર જઈએ છીએ. એવું માનીને કે ત્યાંની વસ્તુઓ સારી આવતી હશે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે વીડિયો, જે સમાચારો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. કોઈ વખત ખાવાની વસ્તુમાં મચ્છર નીકળે છે તો કોઈ વખત ખાવાની વસ્તુમાંથી વંદો નીકળે છે. જી હાં, થોડા સમય પહેલા ચાશવાલાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં આઈસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો હતો ત્યારે હવે પિઝામાંથી વંદો નિકળ્યો છે.

  

 જામનગરનો પરિવાર યુએસ પિઝાના આઉટલેટમાં પિઝા ખાવા માટે ગયા હતા. જ્યાંથી પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે

 જામનગર: છેલ્લા ઘણાં સમયથી રાજ્યના વિવિધ શહેરોની મોટી મોટી બ્રાંડની ખાવાની દુકાનોમાંથી જીવડાં નીકળવાની વાતો બહાર આવી રહી છે. ત્યારે જામનગરમાંથી આજે ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરનો એક્સ આર્મી મેનનો પરિવાર યુએસ પિઝા ઝોનમાં પિઝા ખાવા ગયા હતા. જ્યાંથી પિઝામાંથી જીવાત-વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, શુક્રવારે જામનગરના છાશવાલાના આઇસ્ક્રીમમાંથી પણ જીવાત નીકળી હતી.

યુએસ પીઝાના પીઝામાંથી નીકળ્યો વંદો  

જામનગરના us pizza ના પિઝામાંથી વાંદો નિકડવાની ઘટના સામે આવી છે પંચવટી રોડ પાસે આવેલ યુ.એસ.પિઝાની બ્રાન્ચમાંથી ગ્રાહકે જ્યારે પિઝા ઓર્ડર કર્યો ત્યારે તેમથી વંદો નિકળ્યો!  JMC ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે જ્યારે ચોંકાવનારી વાત એ છે કે ગઈકાલે જામનગરમાં છાશવાલા શોપની આઇસક્રીમમાંથી વંદો નીકળ્યાનું સામે આવ્યું  હતું. એક ગ્રાહકે છાશવાલા શોપથી આઈસ્ક્રીમ લીધા બાદ તેમાં જીવાત જેવુ દેખાતા તાત્કાલિક તેમણે છાશવાલાના કસ્ટમર કેર નંબર પર વાત કરી હતી. જોકે કસ્ટમર કેર દ્વારા ગ્રાહકને અભદ્ર ભાષામાં જવાબ અપાયો હોય તેવા આક્ષેપો થયા છે. 


અમદાવાદમાં પણ બની ચૂક્યો છે આવો કિસ્સો

આ તરફ ઘટનાને લઈ જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર પહોંચી ચેકિંગ હાથ ધરી હતી. તે દરમિયાન ફ્રિજમાંથી પણ વંદા મળી આવ્યા હતા. થોડા દિવસ પેહલા પણ આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલમાં પણ બન્યો હતો. અને અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે આવેલા લાપીનોઝ પીઝા સેન્ટરમાંથી કસ્ટમરે પીઝા મંગાવ્યા હતા.પીઝામાંથી વંદો નિકડવાનો કિસ્સો સામે આવ્યો હતો. 


આરોગ્ય વિભાગની ટીમની કામગીરી પર પણ ઉઠે છે અનેક પ્રશ્નો 

જો તમે બ્રાન્ડેડ પીઝા ખાવા માટે જાઓ છો તો બે વખત તપાસ કરી લેજો કારણકે હવે આવા બ્રાન્ડેડ પીઝામાં પણ જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હોટલ અને રેસ્ટોરેન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થી રહ્યા છે. અનેક  હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે. આ બધુ થયા પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી પર  પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 


જો તમે પણ બહારનું ખાવ છો તો ચેતી જજો...

છેલ્લા એક મહિનામાં આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પીઝા સેન્ટરોના પીઝામાંથી જીવજંતુઓ નીકળતા હોવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આવા પીત્ઝા સેન્ટરોના આઉટલેટ સામે કડક કાર્યવાહી અને ચેકિંગ હાથ ધરવું જોઈએ પરંતુ તેવી નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તમે પણ બહારનું ખાવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો...    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!