જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 2022માં 187 આતંકવાદીઓ ઠાર, કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-02-08 18:05:01

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા એક વર્ષમાં 187 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીના એક લેખિત સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. નિત્યાનંદે વધુ માહિતી આપતા જણાવ્યું કે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મિરમાં 111 આતંક વિરોધી ઓપરેશન્સ ચલાવ્યા હતા. 


નિત્યાનંદ રાયએ શું જાણકારી આપી?


કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ પણ જણાવ્યું કે વર્ષ 2022માં 125 આતંકવાદી ઘટનાઓ બની હતી. તે સાથે જ 2022માં જમ્મૂ-કશ્મીરમાં 117 વખત આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. નિત્યાનંદ રાયે જણાવ્યું કે વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં 180 આતંકવાદીઓ ઠાર મરાયા હતા અને 95 આતંક વિરોધી અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. તે સાથે જ 2021માં કુલ મળીને 100 અથડામણ અને 129 આતંકવાદી ઘટનાઓની જાણકારી મળી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.