જમ્મુ-કાશ્મીર: સેનાના કાફલા પર આતંકવાદી હુમલો, 3 જવાન શહીદ, ત્રણ ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-12-21 19:53:58

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં  ગુરુવારે (21 ડિસેમ્બર) આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલો પૂંચના સુરનકોટ તહસીલના ડેરા કી ગલી (DKG) જંગલ વિસ્તારમાં બની છે. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. ઘાયલ સેનાના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો કરનાર આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સેનાએ કહ્યું છે કે ગઈકાલે બુધવારે રાત્રે પુંછના સુરનકોટ અને બાફલિયાઝના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ગુરુવારે પણ એન્કાઉન્ટર ચાલુ છે. આતંકવાદીઓને ઘેરવા માટે વધારાના દળો સ્થળ પર મોકલવામાં આવ્યા છે.


આ વર્ષે 25 સુરક્ષાકર્મીઓ થયા શહીદ


ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષે 30 નવેમ્બર સુધી જમ્મુ-કાશ્મીરમાં 25 સુરક્ષાકર્મીઓ જ્યારે 2018માં 91 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.