જમ્મુ-કાશ્મીર: પુંછમાં આતંકવાદીઓના ગ્રેનેડ હુમલામાં આર્મીની ટ્રકમાં આગ લાગી, 5 જવાન શહીદ, 1 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-04-20 21:13:31

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય સેનાના વાહનમાં આગ લાગતાં પાંચ જવાનો શહીદ થયા હતા. વાસ્તવમાં તે વાહન પર આતંકવાદી હુમલો થયો હતો. મોડી સાંજે આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સેનાના એક વાહન પર આતંકી હુમલો થયો હતો. સેનાએ કહ્યું છે કે ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવીને અજાણ્યા આતંકવાદીઓએ બેર ગલી અને પૂંચ વચ્ચે ચાલી રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડના કારણે વાહનમાં આગ લાગી હોવાની આશંકા છે.


આતંકી સંગઠન PAFFએ જવાબદારી લીધી


બીજી તરફ આ આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ PAFF (PAFF)એ લીધી છે. PAFFએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું બદવાયેલું સ્વરૂપ છે. જે આ પહેલા પણ ઘણા હુમલાઓની જવાબદારી સ્વીકારી ચૂક્યું છે.


પાંચ જવાન શહીદ, એક ઘાયલ


મળતી માહિતી મુજબ, ગુરુવારે બપોરે લગભગ 3 વાગે પૂંચ જિલ્લાના ભટાદુરિયા વિસ્તારમાં સેનાના એક પેટ્રોલિંગ વાહનમાં આગ લાગી હતી. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા અને એક ઘાયલ થયો હતો. જે બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સેના અને પોલીસની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ સાંજે સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.


સેનાએ આપ્યું આ નિવેદન


સેનાના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું હતું કે સેનાનું આરઆર વાહન બિમ્બર ગલીથી પૂંચ તરફ જઈ રહ્યું હતું. લગભગ 3 વાગ્યે આ વિસ્તારમાં તેના પર આતંકી હુમલો થયો હતો. ભારે વરસાદનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓએ વાહન પર ગોળીબાર કર્યો હતો. જે બાદ ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે જવાનોને સંભાળવાનો મોકો મળ્યો ન હતો. જેના કારણે વાહનમાં આગ લાગી હતી અને વાહનમાં હાજર 6 જવાન ઘાયલ થયા હતા. જેમાં પાંચ જવાનો ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. એક ઘાયલને સારવાર માટે રાજૌરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!