જમ્મુ-કાશ્મીર: પુંછમાં આતંકવાદીઓના ગ્રેનેડ હુમલામાં આર્મીની ટ્રકમાં આગ લાગી, 5 જવાન શહીદ, 1 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-04-20 21:13:31

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય સેનાના વાહનમાં આગ લાગતાં પાંચ જવાનો શહીદ થયા હતા. વાસ્તવમાં તે વાહન પર આતંકવાદી હુમલો થયો હતો. મોડી સાંજે આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સેનાના એક વાહન પર આતંકી હુમલો થયો હતો. સેનાએ કહ્યું છે કે ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવીને અજાણ્યા આતંકવાદીઓએ બેર ગલી અને પૂંચ વચ્ચે ચાલી રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડના કારણે વાહનમાં આગ લાગી હોવાની આશંકા છે.


આતંકી સંગઠન PAFFએ જવાબદારી લીધી


બીજી તરફ આ આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ PAFF (PAFF)એ લીધી છે. PAFFએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું બદવાયેલું સ્વરૂપ છે. જે આ પહેલા પણ ઘણા હુમલાઓની જવાબદારી સ્વીકારી ચૂક્યું છે.


પાંચ જવાન શહીદ, એક ઘાયલ


મળતી માહિતી મુજબ, ગુરુવારે બપોરે લગભગ 3 વાગે પૂંચ જિલ્લાના ભટાદુરિયા વિસ્તારમાં સેનાના એક પેટ્રોલિંગ વાહનમાં આગ લાગી હતી. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા અને એક ઘાયલ થયો હતો. જે બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સેના અને પોલીસની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ સાંજે સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.


સેનાએ આપ્યું આ નિવેદન


સેનાના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું હતું કે સેનાનું આરઆર વાહન બિમ્બર ગલીથી પૂંચ તરફ જઈ રહ્યું હતું. લગભગ 3 વાગ્યે આ વિસ્તારમાં તેના પર આતંકી હુમલો થયો હતો. ભારે વરસાદનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓએ વાહન પર ગોળીબાર કર્યો હતો. જે બાદ ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે જવાનોને સંભાળવાનો મોકો મળ્યો ન હતો. જેના કારણે વાહનમાં આગ લાગી હતી અને વાહનમાં હાજર 6 જવાન ઘાયલ થયા હતા. જેમાં પાંચ જવાનો ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. એક ઘાયલને સારવાર માટે રાજૌરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.